SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ * નિષધપતિ કહીને જુવાને કમળપત્રને ઢગલો ખાટલા પાસે મૂકો અને ખાટલા પરનું વહાલ ઉઠાવી લઈ શયારૂપે કમળપત્રો ગેáવા માંડયો.. સરખી પથારી થઈ ગયા પછી તેણે તેના ઉપર વકલ બિછાવી દીધું. ત્યાર પછી તે બોલ્યો, “આટલામાં ક્યાંય દૂધ મળે એમ નથી. પણ મારો બનાવેલે દારૂને એક ભાંડ ભર્યો છે...થડક પીશે. તે આ બધી નબળાઈ ચાલી જશે ને બત્રીસે કોઠે દીવા થઈ થશે.” “ના, ભાઈ, મને આનંદ છે. વળી, હું દારૂ કે એવા કોઈ પદાર્થો પીતા નથી. તેમ, રાત્રકાળે કશું લેતી નથી. મારા લીધે તારે ખૂબ જ શ્રમ લેવો પડયો છે. હવે તું નિરાંતે આરામ કર.” ભીલ જુવાને પ્રસન્ન સ્વરે કહ્યું, “મને શો શ્રમ પડવાને હતો? આજ તે મારા પર માતાજીની કૃપા વરસી છે....” આટલું કહીને તેણે એક ખૂણામાં પડેલા માટલામાંથી માટીના. લેટકા જેવા પાત્રમાં દારૂ ભર્યો અને પી ગયે. આમ, ઉપરાઉપર ત્રણેક પાર ભરીને પધાં. ત્યાર પછી તે ઘણું જ ઉમંગ સાથે ઊભે. થયું અને બોલ્યોઃ “રૂ૫ની દેવી આપના નામની ખબર નથી. પણ આપની કોમળ કાયા પરથી મેં એટલું જ જાણ્યું છે કે, આપ કઈ રાજરાણી છે. હું એક વનવાસી ભીલ છું...આપનામાં જે જાતની રસિકતા હશે તેવી મારામાં નહિ હોયવળી, આપની દ્રષ્ટિ તેજસ્વી છે.. આપના ચહેરે ચંદ્રને પણ શરમાવે એ રૂડે છે. આમ બહાર નજર કરો. મીઠી રાત શરૂ થઈ ગઈ છે. આ સ્થળે કેઈને ભય. નથી. વિદ્યાદેવીની કૃપાથી આજ મારે આંગણે અણમેલ રત્ન આવ્યું છે.. તય જુવાન છે... હું પણ નવજુવાન છું..મારા. ઉપર પ્રસન્ન થાઓ.. વનમાં વસનારો એક ભીલ બહુ કંઈ ન જાણી શકે એ સહજ છે. છતાં આપણો વિલાસ અપૂર્વ બનશે. આ કમળની શય્યા પણ ધન્ય બની જશે.. દમયંતીના આશ્ચર્યનો પાર ન રહ્યો. બેયાના અગ્નિનો પ્રકાશ
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy