SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સહo નિષપધતિ રાજાને પરિચય એક સામાન્ય માનવી તરીકે જ કરવો પડશે. મારી પાસે કોઈ દેશનું સ્વામીત્વ નથી, સેવકને સમૂહ નથી, દેવ દુર્લભ સમૃદ્ધિ નથી.અરે, પહેલાંનું શરીર પણ નથી. કર્મની બલિહારી છે...જીવતા રહીને મારે બીજો ભાવ કરે પડ્યા છે ! થાય ! માનવીએ પોતાનાં પાપ ભોગવવાં જ પડે છે! આ રીતે વિચાર કરતે કરતો નળ અમરાવતી સમી વિનિતા નગરીના તેરણ દ્વારમાં દાખલ થયો. નગરીમાં દાખલ થતાં જ નળને કાન પર ભયજનક અવાજ અથડાવા માંડયા. તેણે જોયું, લેકો ભયવિહવળ બનીને ચારે તરફ દોડાદોડ કરી રહ્યા હતા. કેઈ દુર્ગ પર ચડી જતા કઈ ભવનમાં ઘૂસી જતા તે કઈ વૃક્ષ પર ચડી જતા... પણ આ બધું છે શું? સવારના પ્રહરમાં જ લેકે આટલા ભયભીત શા માટે બન્યા છે? તેણે સામેથી આવતા એક ટેળાને પૂછયું, “ભાઈઓ, આમ નાસો છે શા માટે? શું બન્યું છે ? આટલા ભયભીત કેમ થઈ ગયા છો?” “અલ્યા, તું કોઈ અજાણ્યો પરદેશી લાગે છે. પ્રાણ બચાવે હેય તે જલદી કયાંક છુપાઈ જ.. અમારા મહારાજાને પટહસ્તી મદદૂર બની ગયા છે અને મહાવતે તથા સુવર્ણની સાંકળોના ભુકકા બેલાવી આ તરફ આવી રહ્યો છે !' ટોળામાંના એકે કહ્યું, નળ ભયભીત થવાના બદલે એમ ને એમ અગ્રસર થયો. લાકે પ્રાણ બચાવવા ખાતર છૂપાઈ ગયા હતા.અથવા તે છુપાઈ જવા માટે નાસભાગ કરતા હતા. ભવનના ઝરૂખાઓમાં ઊભેલી સ્ત્રીઓ પણ ભયથી ભારે વિકળ બની ગઈ હોય એમ લાગતું હતું. ત્યાં તે એક રાજસેવક બૂમ પાડતે નીકળ્યો.... ‘લેકે, હાથીનીનજરે ચડશે માહાથી આ તરફ વળે છે. તેણે એક શ્રેષ્ઠિના જવાન પુત્રને સુંઢમાં ભરાવ્યો છે.આ હાથીને જે કઈ વશ કરશે તેને મહારાજા સારું એવું ઈનામ આપશે...સા ગામની જાગર
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy