SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 218 - નિષધપત્રિ એ કાર્ય તે આપ સમા સમર્થ જ કરી શકે” રાદરે કહ્યું. સારું, એના મનને હું ફરી વાર ચંચળ બનાવીશ.” કલિએ કહ્યું બીજા પાંચ દિવસ વીતી ગયા. કલિના પ્રભાવથી નળના મનમાં વારંવાર ઘુતક્રીડાના આનંદની તમન્ના નાવા માંડી. છ દિવસે. તેણે પિતાના એક અંગત સેવકને આજ્ઞા કરી, “તું કોઈને ખબર ન પડે તે રીતે કુંવરરાજ પાસે જા અને કહેજે કે આજ સંધ્યા પછી તરત આવે.” સેવક કઈ જીભે પ્રતિવાદ કરી શકે ? તે તરત વિદાય થયો. જો કે આટલા દિવસોની રમતમાં બંને ભાઈઓનાં પાસાં સરખાં રહ્યાં હતાં.ળ માત્ર પાંચેક હજાર સુવર્ણમુદ્રાઓ હાર્યા હતા, જેની કોઈ વિસાત નહતી. સાયં ભોજન પતાવીને પત્નીએ આપેલે મુખવાસ ધારણ કરીને તે રાજભવનના ખંડ તરફ રવાના થઈ ગયા. પત્નીને તે વિશ્વાસ હતો કે પતિદેવે મારા સોગંદ લીધા છે એટલે તેઓ ફરી વાર જુગાર નહિ રમે... પરંતુ સંસારમાં ઘણી વાર ભાવિ પ્રબળ બની જાય છે. જે નળ કોઈ દિવસ અન્યાય, અનીતિ કે વ્યસન સામે નજર પણ રહેતો કરતે...જેનું જીવને યૌવન હોવા છતાં નિર્મળ, પવિત્ર અને આદર્શ રહ્યું હતું. જેના ભુજબળથી દેવતાઓ પણ કંપી ઊઠે તેમ હતા...તે નળ કલિની દુષ્ટ વૃત્તિ આગળ લાચાર બની ગયો અને પોતાના ઓરમાન ભાઈ કુંવર સાથે જુગાર ખેલવા બેસી ગયે. જુગારીનું આચરણ પિતાની પ્રતિભા અને વ્યકિતત્વ પર આઘાત કરનારું હોય છે. આજ કલિની આજ્ઞાથી દૂરદર પણ રંગમાં આવી ગયો હતે મને નળ પ્રત્યેક દાવમાં હાર જતો હતો, કામથી પરાજિત થયેલા કામ પુરુષને જેમ કામવાસના પ્રત્યે આસકિત વધતી જાય, તેમ જુગા. રીને જુગારમાં આસક્તિ વધતી જાય છે. પિતાની હારને નિવારવા માટે તે બમણું દાવ મૂકે છે. અરે, ઘણી વાર તે પાગલ બનીને
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy