SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 101 કિલિની પ્રતિજ્ઞા! દમયંતી નળરાજાની ધર્મપત્ની બની ગઈ છે .નળરાજા જેવો સુંદર અને બલિષ્ઠ પુરુષ માનવકમાં પ્રાપ્ત થવા પણ દુર્લભ છે. તું પ્રમાદના અંધકાર વચ્ચે ફસાઈ ગયો. આમ છતાં જો તું યથા સમયે ત્યાં આવ્યાં હતા તે પણ યંવર મંડપમાં તારા સામે કઈ માનવ નારી નજર સરખીયે ન કરત. પાગલ કલિ, માનવ નારીના અંત:કરણમાં જે બી ભર્યું છે તેને દેવતાઓ પણ નમન કરે છે. - હવે તું પુનઃ તારા સ્થાને ચાલ્યો જા. અમને પણ વિલંબ થાય છે.” છોડાયેલા નાગ જેવો કલિ કપાલે તરફ જોઈને બેલ્યો, હં. હવે હું સમજ્યો કે દમયંતી નળરાજાને વરી ગઈ અને તમે બધા ત્યાંથી પાછા ફરી રહ્યા છે... પણ મને નવાઈ લાગે છે કે તમે બધા આવું અનુચિત કાર્ય કેવી રીતે સહન કરી શક્યાં..? ખરેખર, તમે બધા નિર્બળ અને નાહિંમત દેને ધિક્કાર હે ! તમારા બધાની - હાજરીમાં સંસારની એક સર્વોત્તમ માનવસુંદરી એક માનવ જતુની બની ગઈ! આ શું તમારા માટે ઓછી શરમની વાત છે? બધા રાજાઓને તમે ચાળી શકતા હતા અને દમયંતીનું અપહરણ કરી સ્વર્ગમાં આવતાં તમને કેણ રોકી શકે એમ હતું ? આવા સાહસહીન વર્તાવથી તમે તમારી શકિતને સ્વર્ગના મહિમાનો ખુલે તિરસ્કાર કર્યો છે. તમે બધા અત્યં હોવા છતાં મોતના જડબામાં રહેલા માનવીથી પણ નબળા પુરવાર થયા છે... તમારી વાત પર મને દુઃખ થાય છે. તેમ, હસવું પણ આવે છે. તમે બધા નૈષ્ઠિક બ્રહ્મચારીના બિરુદનો ભંગ કરે છે ..પણ સ્ત્રીના નિતંબમાં આસકત અનેલા તમે સ્વયંવરમાં મેટે ઉપાડે ગયા હતા ! ખરેખર કયાકારની માફક આ દુનિયા અન્યને જ ઉપદેશ આપતી હોય છે ! - તમે ખુલ્લું શા માટે નથી કહેતા કે દમયંતીએ તમને તરણુ જેવા તુચ્છ ગણીને ફેંકી દીધા છે...? હજુ પણ સમય છે...આવ મારી સાથે -પૃથ્વીપીઠ તરફ નળના પંજામાંથી દમયંતીનું અપહરણ કરીને
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy