SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અશકય કાય? 149 વરવા માટે મોટી આશાએ જઈ રહ્યા છે. પરંતુ કમલિનીનું ચિત્ત જેમ સૂર્ય સિવાય અને ગંગાનું મન જેમ સમુદ્ર સિવાય અન્યમાં ઉમંગભર્યું બનતું નથી તેમ, દમયંતી પણ નળ સિવાય અન્ય કોઈને પસંદ નહિ કરે. આ નવજવાન નળ તો દેવરૂપને પણ ઝાંખું પાડે તે પ્રભાવશાળી અને સુંદર છે. ભગવાન શંકરથી દાઝેલે કામદેવ ભલે અંગહીન બને. પરંતુ ખરી રીતે તે તે આવા સુંદર પુરુષથી દૂર રહેવા ખાતર જ અપંગ બન્યો હોય એમ લાગે છે ! જેમ અન્ય દેના મનમાં આવો સંશય જાગ્યો હતો તે જ રીતે ઈન્દ્રાદિ લોકપાલના હૈયામાં પણ વિમાસણ પેદા થઈ હતી. કુંડિનપુર જવું કે અહીંથી પાછી સ્વર્ગમાં પરવરવું ? આ પ્રશ્નને સમાધાનકારક ઉકેલ આવતો જ નહતો. પરંતુ કૂટનીતિમાં કુશળ એવા ઈન્દ્ર પિતાના મહાપ્રતિહાર નૈત્રમેરીને બોલાવીને કેઈ ન સાંભળે તેવી રીતે એક સૂચના કરી નૈત્રમેષી નમન કરીને એકલે વિદાય થયો અને અશ્વારોહી નળ પાસે પહોંચી ગયો. સ્વર્ગના દેવ જેવા તેજસ્વી અને રૂપવાન નત્રમેલીને જોતાં જ નળના મનમાં થયું, “એકાએક આ કોણ આવ્યું હશે ?" ત્યાં તે નૈત્રમેષીએ જ વિનયભર્યા પ્રસન્ન સ્વરે કહ્યું હે રાજન, મનમાં કોઈ પ્રકારને સંક૯પ ન કરીશ. તારું ચિત્ત પ્રસન રાખજે. આજ ઈન્દ્ર મહારાજ પિતે તારી સામે આવી રહ્યા છે તે તું તેમનું સ્વાગત કરવા તૈયાર થા.” નળનાં નયને અતિ પ્રસન્ન બની ગયાં...તેણે પ્રત કર્યો. આપની વાત સાંભળીને હું ધન્ય બને. શ્રી. ઈન્દ્ર મહારાજ કયારે પધારશે ?" આછી હાસ્ય સહિત નવમેષ દેવે કહ્યું: “સામે નજર કર... આ તરફ જ આવી રહ્યા છે.' નળે જોયું...દિવ્ય વિમાનો નીચે ઊતરી રહ્યાં છે... તે પિતાના
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy