________________ વી લે છે નીકળી જાય છે, તે દેશના સ્થાનો તિરછી છે, તેથી તેને ગર્ભમાં ઊંધે માથે લટકવાનું નથી. મનુષ્યને ઊંધે માથે લટકવાનું છે. હા મહિનાસુધી અંધારી-ગંધાતી કેટલીમાં લટકે તે ગર્ભ પાકે, માટે દુખનું નિમિત્ત, જન્મ પાણુ યંત્રપલણની જેમ દુઃખે મળે છે. હવે તેને દુરુપયેગા થાય તે ભાવમાં પણ દુઃખનું કારણ છે, તે સદુપયેગ શી રીતે થાય તે માટે કહે છે કેત્રણ વસ્તુ મેળવી લે તે તારા જન્મને વખાણવા લાયક બનાવી શકાય, રખડપટ્ટીમાંથી નીકળી જ્યાં રખડપટ્ટી નથી તેવું સ્થાન મેળવી લે, તેવું સ્થાન મારે મેળવવું છે, તે નિશ્ચય કર. “સાનિ કાજ અરાણ' જગતનાં તમામ સ્થાનકે મરણવાળાં અશાશ્વત છે. મરણ વગરનું માત્ર એક જ સ્થાન છે. અને તેજ મેળવવા લાયક છે, માટે મારે તે મેળવવું જોઈએ, પિતાને માટે એ નિશ્ચય કે-(૧) તે મા મને કેમ મળે? એ પછી (2) તેનાં સાધને અને તેના આધકે ધ્યાનમાં લે. પછી (3) તે બાધાથી ખસી સાધનોને ઉપયોગ કરે એ પ્રમાણે તે અમરણ સ્થાન પ્રામવને નિશ્ચમ આદિ તે ત્રણ વસ્તુ બરાબર સમજાય તે માટે શાસ્ત્રકાર કહે છે કે-સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર, તે અમને રણ ધર્મ બનવાનાં સાધને છે. તેને ખ્યાલ લે તે સસ્પણ દર્શનપૂર્વકનું જ્ઞાન, અને પછી તેને અમલ કરે તે ચારિત્ર, તેથી સમ્યગદર્શને કરી સહિત જે જ્ઞાન પામે અને તે પછી જે સમ્યક્રચારિત્રને પામે તે આત્મા, ખરેખર મળેલ મનુષ્યભવ સાર્થક કરી શકે છે. આ સાંભળી તે ત્રણ રત્ન મેળવવા જે માનવી ઉદ્યમ કરશે તે માનવી આ ભવ પરભવમાં કલ્યાણની પરપરા પાસે મોક્ષસુખને વિષે બિરાજમાન થશે