SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ફાનસાર વાળા અસંખ્યાતા સ્થાનક થાય છે, ત્યારબાદ એક અસં. ખ્યાતભાગ વૃદ્ધિનું સ્થાનક હોય છે. ત્યારપછી અસંખ્યાતા અનન્તભાગ વૃદ્ધિના સ્થાનક હોય છે, ત્યારબાદ એક અસંખ્યાત ભાગ વૃદ્ધિનું સ્થાનક હોય છે. એ પ્રમાણે વચ્ચે વચ્ચે અનન્તભાગ વૃદ્ધિના અંતરવાળા અસંખ્યાતા અસંખ્યાત ભાગ વૃદ્ધિનાં સ્થાનક થયા પછી એક સંખ્યાતભાગવૃદ્ધિનું સ્થાનક આવે છે. એવા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સંખ્યાતભાગ વૃદ્ધિના સ્થાનકે વ્યતીત કર્યા પછી એ જ કમથી સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનન્તગુણ વૃદ્ધિનાં અસંખ્યાતા સંયમસ્થાનકો થાય છે. (ત્યારબાદ અસંખ્યાતગુણ વૃદ્ધિવગેરે કમથી પાંચ સ્થાનકે થાય છે. એમ અસંખ્યાતા ષડગુણ વૃદ્ધિના સ્થાનકો થાય છે). સર્વ સંયમસ્થાનકોની સંખ્યા અસંખ્યાતા કાકાશના પ્રદેશે જેટલી છે અને ઉત્તરેત્તર વિશુદ્ધ હોય છે. શરૂઆતથી જ અનુક્રમે સંયમસ્થાન ઉપર ચઢતે અવશ્ય નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. તથા શરૂઆતથી જ ઉત્કૃષ્ટ અને પછી મધ્યમ સંયમસ્થાન ઉપર ચઢતા અવશ્ય પડે છે એ પ્રમાણે પ્રથમ સ્થાનથી જ અનુકમે સંયમના ક્ષપશમવાળાને તેના ચારિત્રપર્યાયે નિર્મલ થયા હોવાથી સુખરૂપ ચારિત્ર હોય છે. અને એ સંબધે ભગવતીસૂત્રનો પાઠ આ પ્રમાણે છે - ___ "जे इमे अज्जत्ताए समणा निर्मगथा विहरन्ति ते णं कस्स तेउलेस्सं वितिवयंति / गोयमा ! मासपरिआए समणे निगंथे वाणमंतराणं देवाणं तेउलेस्सं वितिवयति / एवं दुमासपरिआए समणे निगंथे असु
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy