SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 74 ધર્મોનું તુલનાત્મક અધ્યયઃ જીવાત્માને બાહ્ય દેહ ત્રણ પ્રકારને વર્ણવવામાં આવ્યું છે. ક, ભૌતિક શરીર (Gross body): માનવદેહ પાંચ ભૌતિક સ્વરૂપને. અથવા તો પાંચ મહાભૂતોને બનેલું છે. પૃથ્વી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુ એ બધાંય તને માનવદેહના ઘડતરમાં ફાળો છે. માનવીને આ ભૌતિક દેહ એના મૃત્યુ પછી જે તે ભૌતિક તવમાં વિલીન થાય છે. ખ, સ્થૂલ શરીર (Subtle body): માનવનું સૂક્ષ્મ શરીર ઈન્દ્રિ, મન, બુદ્ધિ, જીવે વગેરે સૂક્ષ્મ તત્વોનું બનેલું છે. ભૌતિક તત્ત્વોના બનેલા ભૌતિક દેહમાં આ સૂક્ષ્મદેહ દ્વારા જ્ઞાન અને ગતિ શકય બને છે. ગ, કારણ શરીર (Causal body) : ભૌતિકદેહ અને સૂક્ષ્મદેહના . કારણવરૂપને દેહ તે કારણદેહ તરીકે ઓળખાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતા અને ભેદ આ વડે જ નીપજેલા તરીકે સમજાવાય છે. 2, માનસિક જીવાત્માની બીજી વિશિષ્ટતા તે માનવીના મનઃપ્રદેશમાં નીપજતી વિવિધ અવસ્થાઓ છે. માનવમનની ચેતન અવરથાના ચાર પ્રકાર સ્વીકારાયાં છે : ક. જાગૃત અવસ્થા ખ. સ્વનાવસ્થા ગ. સ્વરહિત અવસ્થા ઘ. તુર્યાવસ્થા માનવચેતનાની આ ચાર અવસ્થાની વાતે ફોઈડના અચેતનની વાત નથી એ ખરું, પરંતુ એમના અચેતનના ખ્યાલના પાયા સમાન સ્વપ્નાવરથાને અહીં ઉલ્લેખ થયેલ છે. પરંતુ આથી વિશેષ અહીં સ્વપ્ન રહિત ચેતનાવસ્થા અને ચેતનયુક્ત તુર્યાવસ્થાને ઉલ્લેખ થયેલ છે. “કેણુ'નું વિવેચન કરતા શ્રી રમણ મહર્ષિ૧૦ એવું કહે છે કે માનવીની વનરહિત ગાઢ નિદ્રાવસ્થામાં એની જે અવસ્થા છે, એ જ એનું સાચું સ્વરૂપ છે. અને “હું કોણ?' પ્રશ્નનો ઉત્તર પણ એ જ છે. પરંતુ અહીંયાં આપણા મનમાં એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે ખરહિત ગાઢ નિદ્રાવસ્થાને અનુભવ કઈ રીતે વર્ણવવો? કારણ કે જે આપણે એ જાણીને વર્ણવી શકીએ તે એ નિદ્રાવરથા નથી, અને 10. “હું કેણ', રમણાશ્રમ, તિરૂવનમલાઈ
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy