SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ 71 આ ઉપરાંત હિંદુધર્મની વિરતૃત સમજ પામવાને માટે આપણે બીજા છેડા પ્રશ્નોની પણ વિચારણા કરીશું. 1. આશ્રમ વ્યવસ્થા 2. પુરુષાર્થ - આ વ્યક્તિજીવન વ્યવસ્થા 3. સાધન ચતુષ્ટય 4. વર્ણવ્યવસ્થા 5. સંસ્કાર 6. તહેવાર, તીર્થયાત્રા | વ. સમાજજીવન વ્યવસ્થા છે. મંદિર તથા પૂજારી વગે આ ઉપરાંત બીજા ધર્મોને મુકાબલે હિંદુધર્મને તુલનાત્મક અભ્યાસ થઈ શકે એ માટે આપણે નીચેની બાબતો પણ ચચીશું. 1. હિંદુધર્મનાં શાસ્ત્રો 2. હિંદુધર્મનું નીતિશાસ્ત્ર 3. હિંદુધર્મમાં રવર્ગ અને નર્કના વિચારે 4. હિંદુધર્મમાં યજ્ઞનું સ્થાન 5. હિંદુધર્મના સંપ્રદાયો. આમ, હિંદુધર્મના બંધને સમજવા માટે આપણે એની ત્રણ વિભાગોમાં વહેચણી કરી. પ્રથમ વિભાગમાં હિંદુધર્મના તાત્વિક બેધને સમાવેશ કર્યો અને એમાં ઈશ્વર, જીવ અને જગત તથા જીવ અને જીવની સાથે સંકળાયેલ પુનર્જન્મ, કર્મ અને મુક્તિને સમાવેશ કર્યો. બીજા વિભાગમાં સમાજના એક અંગ તરીકે વ્યક્તિએ પોતાના જીવનનું ઘડતર અને વ્યવસ્થા શી રીતે કરવી તેમ જ સમાજવ્યવસ્થા અંગેના વિચારો તથા તેના ઘડતરમાં ફાળો આપતાં આનુષગિક અંગોનો સમાવેશ કર્યો. ત્રીજા વિભાગમાં એવા પ્રશ્નોને સમાવેશ કર્યો છે હિંદુધર્મનું બાહ્ય કલેવર સમજવામાં તથા ઓળખવામાં સહાયભૂત થાય. ધર્મ-કલેવર સમજણનાં આ અંગે સામાન્યપણે બધા જ ધર્મોમાં અસ્તિત્વમાન ધરાવતા હોય છે. ધર્મ પરિવર્તન(Religious change)ની પ્રક્રિયામાં આ બાહ્ય કલેવરનાં અંગમાં મહત્વનું પરિવર્તન સામાન્ય રીતે અનુભવાય છે. પ્રશ્નોનું આવું વિભાગીકરણ આપણે ખૂબ વૈછિક રીતે કર્યું છે એની ના નહિ, પરંતુ પ્રશ્નોની સમજને માટે આવું કેઈક વિભાગીકરણ અનિવાર્ય છે એની ના પણ કેમ પાડી શકાય ? કઈ એક વિભાગમાં સમાવષ્ટિ બાબત બીજા
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy