SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તબક્કાનું મહત્ત્વપૂર્ણ કાર્ય રુડોલ્ફ ટોનું છે. 5 પરમતત્ત્વના પરલક્ષી રવરૂપ ઉપર તેઓ ખૂબ ભાર મૂકે છે, અને એમ કરીને ધમભ્રાંતિયુક્ત સ્વલક્ષી સિદ્ધાંતને પછાડે છે. એ જ પ્રમાણે વૉન હ્યુગલ૧૬. અને વેબ પણ એવું જ કાર્ય કરે છે. તાર્કિક સંશોધનના મૂલ્યને અનાદર કર્યા વિના જ ધર્મમાંના અતાર્કિક તવા પર ભાર મૂકીને વધુ પડતા બુદ્ધિવાદ અને તર્કવાદને દૂર કરવામાં આવ્યા છે. આમ કરવામાં એ સંભવિત છે કે જે સમાન છે તેને નાશ થાય તે જે ભિન્ન છે, નિશ્ચિત છે અને એકાંગી છે એ અવલોકન બહાર નહિ રહે એ પણ સેંધવું જોઈએ. આને પરિણામે ધર્મના ઇતિહાસકારો કોઈ પણ બાહ્ય સ્વરૂપની એકમયતાકે સમાનતાન કરે એ નિપન્ન છે. ધર્મના તુલનાત્મક અધ્યયનના વિકાસના અત્રે રજૂ કરેલા ત્રણેય તબક્કાઓમાં યુરોપ, અમેરિકા અને એશિયાના સંશોધકે એ આંતરરાષ્ટ્રીય સહકાર આપ્યો છે એની સવિશેષ નેંધ લેવી જોઈએ. આવી આંતરરાષ્ટ્રીયતાના પુરાવા તરીકે છેલ્લા પચાશ વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાયેલ ધર્મના ઇતિહાસની પરિષદો છે. 15. એટે, આઈડિયા એફ ધી હેલી. 16. એસેઝ એન્ડ એસિઝ એન ફિલોસોફી ઓફ રિલિજિયન્સ. 17. રિલિજિયસ એકસપિરિયન્સ.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy