SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ 432 ધનું તુલનાત્મક અધ્યયન ન કરવી કે ઇજા ન કરવી કે શબ્દ, વિચાર અને કાર્યમાં હિંસા ન કરવી કે ઇજા ન કરવી એટલે જ અર્થ થાય પરંતુ અહિંસાને અર્થે આટલું જ નથી. આ તો આપણને અહિંસાને નકારાત્મક ખ્યાલ આપે છે. હકારાત્મક બાજુએ વિચાર કરતા અહિંસા દયા, ભલાઈ અને આત્મત્યાગને ખ્યાલ આપે છે. સૃષ્ટિ માત્રના જીવને માટે માનસિક, વાચિક કે કાંઈક ખોટો ખ્યાલ ન લાવવો એ તો એમના પ્રત્યે લક્ષ્ય ન આપીને પણ બની શકે. પરંતુ અહિંસામાં આ નકારે ઉપરાંત હકાર તે સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવને માટે પ્રેમ અને લાગણી હેવી જોઈએ એમાં રહેલે છે. મહાત્મા ગાંધીજીને માટે સત્યની પ્રાપ્તિને પાયે અહિંસા, અને સત્યની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થઈ છે, એ સિવાય નહીં. જેમ જેમ અહિંસાને વિકાસ થાય તેમ તેમ સત્યની વધુ ને વધુ દષ્ટિ પ્રાપ્ત થાય. - ગાંધીજીની અહિંસા એ કાયરની અહિંસા નથી એ સમજાવતા ગાંધીજી 13 કહે છે : જે કાયરતા અને હિંસાની વચ્ચે જ પસંદગી કરવાની હેય તે હું નિશ્ચિતપણે હિંસાની પસંદગી કરવાની સલાહ આપું. વળી ગાંધીજીની અહિંસા એક કલ્પના નથી કે માત્ર આદર્શ જ નથી એને ખ્યાલ આપતાં ગાંધીજી કહે છે:૧૧૪ હું સ્વપ્નદશ નથી. તે એક વ્યાવહારિક આદર્શવાદી વ્યક્તિ હોવાનો દાવો કરું છું. અહિંસાધર્મ માત્ર ઋષિઓ અને તેને માટે નથી, એ તે આમ જનસમુદાય માટે પણ છે. જેમ પશુ જગતને નિયમ હિંસા છે તેવી જ રીતે મનુષ્ય જાતિને નિયમ અહિંસા છે. ગાંધીજીની અહિંસા નિષ્ક્રિય નથી પરંતુ સક્રિય છે. એ વિશે પિતાને મત સ્પષ્ટ કરતા તેઓ કહે છે૧૧૫: સક્રિય અહિંસાને અર્થ છે સ્વેચ્છાથી દુઃખ સહન કરવું. એટલે કે કઈપણ અન્યાયની સામે દીનતાપૂર્વક મૂકી ન જતાં, પિતાના આત્માની સમગ્ર શક્તિથી એ અત્યાચાર અને અન્યાયનો વિરોધ કરવો જોઈએ. અને, એક સંતપુરુષની ભવિષ્ય દૃષ્ટિનો ખ્યાલ આપે એવું કથન કરતાં એમણે કહ્યું: માનવીના અસ્તિત્વને સાર્થક કરતા આ આત્માના નિયમનું પાલન કેઈપણ એક વ્યક્તિ પિતાના માનના રક્ષણ માટે, પિતાના ધર્મના કે પિતાના આત્માના રક્ષણ માટે ઉપયોગ કરી શકે છે, એટલું જ નહીં એ સામ્રાજ્યના પતનનું કારણ પણ બની શકે છે. 113 ગાંધી સંમરણ ઔર વિચાર, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, 1968, પા. 501 114 એજ, 5, 52 115 એજ, પા. 503
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy