SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું ભાવિ માનવસ્વભાવઃ માનવસ્વભાવનો ખ્યાલ આપતા અબ્દુલ બહા કહે છે : માનવમાં બે સ્વરૂપ છે. એનું આધ્યાત્મિક અથવા ઊર્વ સ્વરૂપ, અને એનું ભૌતિક અથવા નિમ્ન સ્વરૂપ. એકમાં, એ ઈશ્વર સમક્ષ પ્રયાણ કરે છે; બીજામાં, એ માત્ર દુનિયા માટે જીવે છે. માનવમાં આ બંને સ્વરૂપે પ્રત્યક્ષ છે; ભૌતિક સ્વરૂપના આધિપત્યમાં એ જૂઠ, ક્રોધી અને અન્યાયી બને છે. આધ્યાત્મિક સ્વરૂપના આધિપત્યમાં એ નેપાળ, દયાળુ, ભલે, સાચે અને ન્યાયી બને છે. જો માનવનું આધ્યાત્મિક સ્વરૂપ માનવ પર સદાય માટે આધિપત્ય ભોગવે છે તે માનવ સંત છે. જીવનું આવું સ્વરૂપ રજૂ કર્યા પછી બહાઈમતમાં એ જીવના અમરત્વ માટે આમ કહેવાયું છેઃ દૈવી પૂર્ણતા અસીમ છે અને એથી આત્માના વિકાસની તકો પણ અસીમ છે. માનવના જન્મથી જ માનવ આત્માને વિકાસ શરૂ થાય છે. એની બુદ્ધિ ખીલે છે અને જ્ઞાનમાં વધારે થાય છે. જ્યારે દેહ મૃત્યુ પામે છે ત્યારે પણ આત્મા જીવિત રહે છે. આ આત્મા અમર છે. મૃત્યુની એના પર કોઈ સત્તા નથી, આ આત્માને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી 90 જીવન અનંત હોવા છતાં માનવીની વ્યક્તિગત ચેતના એવી નથી એમ આ મતમાં જણાવવામાં આવ્યું છે અને એની સાથે એમ પણ ભારપૂર્વક કહેવાયું છે કે દૈવીતત્ત્વ સાથે એકત્વ સાધવાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે.૮૧ દુઃખ - જીવની દુઃખ અવસ્થા અનિવાર્ય છે એટલું જ નહીં પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ માટે દુઃખ અનિવાર્ય છે એ મત અહીંયાં રજૂ થયો છે. દુઃખ વિશે કહેવાયું છેઃ માનવની કરી બે પ્રકારે થાય છે. એક તો, એના પિતાનાં કર્મોના પરિપાકરૂપે અને બીજું, ઈશ્વરના વફાદાર સેવક હોવાને નાતે જિસસનું દૈહિક દુ:ખ આ બીજા પ્રકારમાં સમાવિષ્ટ છે. દુઃખ અને વેદના અકરમાત આવતા નથી 89 એજ, પા. 88 90 એજ, પા. 59 91 બહાઈ સ્ક્રીપ્સરસ, વિભાગ 614 ધર્મ 27
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy