SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 372 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પાલનની સૂઝવિહેણી, પણ વિશ્વાસભરી ભાવનાને લીધે, દૈહિક વાસનાઓને બાહ્ય રીતે દબાવવામાં આવે છે કે તે માનવીની ચેતન અવસ્થામાંથી મરી પરવારી છે, એમ કહી શકાય ખરું? લેટે કહે છે તેમ “ખરાબ માણસે જે કરે છે તેના સારા માણસે સ્વપ્ન જુએ છે.” અને વાસનાના માર્જનમાંથી જ દેહ અને મનની વિકૃતિઓ જન્મી નથી? સિગમંડ ફ્રોઈડનો મને વિશ્લેષણને સિદ્ધાંત આના પર આધારિત છે. એટલું જ નહિ, પરંતુ એમના પછી મનોચિકિત્સા વિદ્યાને જે વિકાસ થયે છે તે એમ સૂચવે છે, કે માનવીના અસંતુષ્ટ આત્માને સાજે કરવા એ પ્રયત્નશીલ રહે છે. એક અર્થમાં શું પ્રત્યેક ધર્મ પણ આ જ કાર્ય કરતો નથી? અને એથી જૈનધર્મ પણ આત્મતત્વને સિદ્ધ કરવા માટે જ આ માર્ગ રજૂ કરે છે. પરંતુ સંભવિતતા છે કે તપશ્ચર્યાના માર્ગને લીધે આત્માની ખોજને બદલે આત્મા ખોવાને પ્રસંગ નીપજે. તપશ્ચર્યાને પ્રાધાન્યપણે સ્થાપતા જૈનધર્મના અનુયાયીઓમાં, તેમ જ એના સાધુગણમાં તપશ્ચર્યાનું પ્રમાણ કેટલું છે અને મનોચિકિત્સા માટે કેટલા દર્દીઓ છે એની વિસ્તૃત તપાસા ન થાય ત્યાં સુધી, આ વિશે કંઈ ચે કસ રીતે કહી શકાય નહિ. છતાં પણ એટલું તે જરૂર કહેવાય કે દેહને અને દેહની જરૂરિયાતને નીચી કક્ષાની ગણી તેનો સદંતર અસ્વીકાર કરવામાં આવે, એટલું જ નહીં પરંતુ તેનો અનાદર કરવામાં આવે, એ માનવસ્વભાવની સાથે કેટલે અંશે સુસંગત છે એ વિચારણને પ્રશ્ન છે. 4. હિંદુધર્મ-ખ્રિસ્તી ધર્મ : હિંદુધર્મ ખ્રિસ્તી ધર્મ 1. ઈશ્વર : નિર્ગુણ બ્રહ્મ, અદ્વૈત સ , સગુણ ઈશ્વર સ્વરૂપ, પૂર્ણ વિરૂપ, ચિત, આનંદ, પાપ-પુણ્ય પ્રમકારુણ્યની મૂર્તિ અને મન-વાણીથી પર 2. જીવ : બ્રહ્મ આવિર્ભાવ પ્રભુ-પિતાને પુત્ર, સ્વતંત્ર 3. અનિષ્ટ : અસત્ય સત્ય અવિદ્યા તથા વર્ણધર્મ- અનિષ્ટ-ઈશ્વર, સમાજ અને ભંગને લીધે સર્વ દુઃખ અને સ્વ સામે. અનિષ્ટની સામેની જન્મજન્મ લડાઈમાં બધા ખ્રિસ્તી જોડાય 4. મુક્તિ H બ્રહાએક પાપ-નિવારણ આવિર્ભાવ
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy