SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ 350 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક, પૂર્વજન્મને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મને સમાવેશ થાય છે. સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો કર્મ અને એનાં પરિણામમાં માનવા ઉપરાંત પુણ્ય અને પાપને બદલે, જે આ જન્મમાં નહીં મળે તે અત્યાર પછીના જન્મમાં મળશે, એમ સ્વીકારે છે. ટૂંકમાં, આ ધર્મ જૂથ એમ સ્વીકારે છે કે કર્મનું પરિણામ પૂર્ણ થયું નથી ત્યાં સુધી જન્મોજન્મની પ્રક્રિયા ચાલુ રહે છે. -બીજુ, ન્યાયના દિવસને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં જરથુસ્તધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મને સમાવેશ થાય છે સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો પણ કર્મ અને એનાં પરિણામમાં તે માને જ છે. પરંતુ વર્તમાન જીવનને અંતે અન્ય કોઈ જીવન નથી. પરંતુ પ્રત્યેક * વ્યક્તિને તેણે કરેલાં કાર્ય અનુસારને ન્યાય એક દિવસ કરવામાં આવશે. આ પ્રશ્નની સમજણ આપવાને માટે, આ બે પ્રકારનાં ધર્મજૂથે પાડ્યાં પછી, હવે આપણે એ જૂથમાંના પ્રત્યેક ધર્મ વિશે આ પ્રશ્ન અંગે થેડી વિગતે વિચારણા કરીએ. હિંદુધર્મ : કર્મના સિદ્ધાંતનું હિંદુધર્મમાં મહત્વનું સ્થાન છે. ઐતિહાસિક દષ્ટિએ કર્મને 'સિદ્ધાંત હિંદુધર્મમાં પ્રારંભથી છે કે પછીથી ઉપસ્થિત થયેલ છે એ મતભેદને વિષય હોવા છતાં, હિંદુધર્મમાં એ ઓતપ્રોત થયે છે એને ખ્યાલ, હિંદુધર્મની આપણે બીજા વિભાગમાં કરેલી ચર્ચામાંથી આવશે. - અનિષ્ટના પ્રશ્નની ચર્ચા કરતી વખતે આપણે એ જોયું છે કે હિંદુધર્મમાં અનિષ્ટને સ્થાન નથી. એ જ પ્રમાણે પાપને પણ હિંદુધર્મમાં કોઈ સ્થાન નથી. છ–બ્રહ્મ એક્યના અજ્ઞાનમાંથી પાપ નીપજે છે. હિંદુધર્મમાં કર્મના વિવિધ પ્રકારે સ્વીકારવામાં આવ્યા છે એ પણ આપણે હિંદુધર્મની વિચારણા કરતી વખતે જોયું છે. એથી જે કર્મોનું પરિણામ હજી સધી ભોગવ્યું નથી એવાં કર્મોના પરિણામ ભોગવવાને માટે જ પુનર્જન્મ લે પડે છે. - જેનધર્મ: કર્મ સિદ્ધાંતનું જૈનધર્મમાં અગત્યનું સ્થાન છે. પૂર્વ જન્મનાં કાર્યોનાં ફળ ભેગવવાનાં બાકી રહ્યાં હોય તે માટે તે સંસારમાં જન્મ લેને પડે છે. કહેવાયું
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy