SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય પ્રશ્નો 305 ધર્મ માનવ રથાપિત છે ત્યાં, કયાં તે ત્રીરતરી અરિતત્વ રવીકારાયું છે, અથવા તે પછી થાપકને જ ઈશ્વરસ્થાને અને પરમતત્ત્વ સ્થાને બેસાડવામાં આવ્યા છે, અને એમ કરીને ત્રીસ્તરી અસ્તિત્વ સ્વીકારાયું છે. આની સરખામણીમાં હિંદુધર્મનું એકસ્તરી અસ્તિત્વ વિશિષ્ટ ધ્યાન ખેંચે છે. જીવ અને બ્રહ્મ ભિન્ન નહીં પણ એક જ છે, એ એકતરી અસ્તિત્વને પાયો છે. બૌદ્ધધર્મ, જૈનધર્મ, કફયુશિયનધર્મ તાઓધર્મમાં કાળાનુક્રમે એના રથાપકને જ દેવસ્થાને સ્થાપવામાં આવ્યા છે, અને એમ ત્યાં દ્વિસ્તરી અસ્તિત્વ છે. એ નેધવું જોઈએ કે હિંદુધર્મની જેમ શિતધર્મ પણ માનવ સ્થાપિત ન હોવા છતાં પણ, એમાં દ્વિસ્તરી અસ્તિત્વ સ્વીકારાયું છે. એક તરફ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે મીકડો અને બીજી તરફ પ્રજાજનો. જે ધર્મોના સ્થાપક નથી એમને વિશે આટલે ઉલ્લેખ કર્યા પછી હવે આપણે ધર્મસ્થાપકો તરફ વળીએ. વિવિધ ધર્મોની જે રૂપરેખા આપણે બીજા વિભાગમાં રજૂ કરી છે એને આધારે ધર્મસ્થાપકને આપણે ચાર વિભાગમાં વહેચી શકીએ. ધર્મ ધર્મસ્થાપક પ્રકારે જૈનધર્મ મહાવીર વિચલક (Deviator) બૌદ્ધધર્મ હિબ્રધર્મ મોઝીઝ મધ્યસ્થી ખ્રિસ્તી ધર્મ જિસસ ક્રાઈસ્ટ રેસ્ટરધર્મ જરથુસ્ત ઈસ્લામધર્મ શીખધર્મ કન્ફયુશિયનધર્મ કયુશિયસ ધર્મિષ્ટ તત્ત્વજ્ઞ તાઓધર્મ લાઓઝે ગૌતમ બુદ્ધ મહમદ નાનક ધર્મસ્થાપકના વિવિધ વિભાગોમાં રજૂ કરેલા પ્રકાર વિશે આપણે ઘોડી વિચારણું કરીએ. જેનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપક જન્મે હિંદુઓ હતા, અને પ્રવર્તમાન હિંદુધર્મ પ્રત્યેના તીવ્ર વિરોધને પરિણામે તેઓ હિંદુધર્મ પ્રવાહમાંથી વિચલિત થયા, અને નવો ધર્મ થા. એટલે પ્રબળ એમને હિંદુધર્મ માટે વિરોધ હતા, એટલું જ પ્રબળ એમનું અંગત વ્યક્તિત્વ હેત તે એ ધર્મ 20
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy