SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ચીનનાધર્મો કફ્યુશિયન ધર્મ 1. સામાન્ય : ચીનના બે મહાન ધર્મપ્રવત કે પછી લાઓના ઐતિહાસિક કાળ વિશે જે વિવાદ છે એ વિવાદ કર્યુશિયસ વિશે નથી. કફ્યુશિયસને જન્મ ઈ. સ. પૂર્વે ૫૫૧માં થયો હતો અને ઈ. સ. પૂર્વે ૪૭૯માં એમનું મૃત્યુ થયું હતું. એમને ઉછેર એમની માતાને હાથે થયું હતું કારણકે એમના પિતા બહુ નાની ઉંમરે અવસાન પામ્યા હતા. એમના જીવનની માહિતી ધર્મ–વચન-સંગ્રહના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. લૂન નામના લેખકે કર્યુશિયસના એનાલેકટસનું ભાષાંતર કર્યું છે, તે આધારે એમના જીવનચરિત્ર વિશે એટલી માહિતી મળે છે કે પિતાના મૃત્યુ પછી એમને ઉછેર સામાન્ય પ્રકારે થયો. એમ છતાં તેઓ નિશ્ચિત. મોબળવાળા હતા એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત છે. પોતાની માતાના મરણ પ્રસંગે જ્યારે કન્ફયુશિયસને પુત્ર રહતે હો ત્યારે તેમણે તેને ઠપકે આપે. તેમને આ એક જ પુત્ર હતો છતાં પણ તેઓ તેના તરફ કડક વૃત્તિ રાખતા હતા.9 એમણે શિક્ષક તરીકેનું કાર્ય પણ થોડો સમય હાથ ધર્યું અને પછીથી રાજ્યની ફોજદારી ન્યાયાધીશીમાં પણ ઘણે સમય સફળતાપૂર્વક કાર્ય કર્યું. એમને જીવનને મહત્વને કાળ એમની ઉંમર વર્ષ પપ થી 72 નો છે. એ ગાળા દરમ્યાન એમણે લોકોમાં પિતાના વિચારો ફેલાવવા પ્રયાસ કર્યો અને એમ કરીને પિતાને ઉપદેશ એમના દેશબાંધને આપ્યું. કન્ફયુશિયસને નામે પ્રસિદ્ધ થયેલા વિવિધ ગ્રંથની રચના પણ એમણે જીવનના આ છેવટના કાળમાં જ કરી. કયુશિયસના વ્યક્તિત્વમાં એવું ક્યું મહત્ત્વનું તત્ત્વ હતું જેને લીધે એમના શિષ્યો તથા એમના અનુયાયીઓ એમને એક મહાન અને માનનીય શિક્ષક તરીકે આદરણીય તરીકે યાદ કરતા ? કન્કયુરિયસ અનેક બાબતોમાં ઘણું ચોક્કસ હતા. પિતે ઈતિહાસના અભ્યાસુ : હવા ઉપરાંત તેઓ પોતે એમ માનતા કે વ્યક્તિએ અને સમાજે ઈતિહાસ પાસે ઘણું શીખવાનું છે, એટલું જ નહિ પરંતુ નૈતિક આદર્શનું તેમ જ રાજકીય વ્યવસ્થાનું ઘડતર પણ ઈતિહાસ દ્વારા મળેલા ડહાપણ ઉપર જ આધારિત થવું" 7 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 27 : 122; 16 : 13
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy