SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 246 ધનું તુલનાત્મક અધ્યયન કન્ફયુશિયન પંથે ? આવા બે પંથે છે. પર્વત પંથ : આવા ત્રણ પંથે છે. જાપાનને દરિયાનું સાનિધ્ય પ્રાપ્ત છે, પરંતુ પર્વતનું નહિ. આથી એવા પંથે અરિતત્વમાં આવ્યા છે, જેઓ એમ માને છે કે દેવ કામી ને વાસ પર્વતમાં છે. શુદ્ધિકરણ પંથ : આવા બે પંથે છે અને એકમાં રૂઢિચુરત માન્યતાઓ ઉપર તે બીજામાં વૈરાગ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ધર્મ માન્યતા સુધારનાર પશેઃ આ પ્રકારના પંથે સૌથી અગત્યના પંથે છે. આવા ત્રણ પંથે છે. એ પ્રત્યેક પંથની આપણે થોડી વિગતે વિચારણું કરીશું. કોજીમી કો: આ પંથના સ્થાપક મુનેટડાને જન્મ ઈ. સ. ૧૭૮માં થયો હતો. મુનેટડાને મુખ્ય ઉપદેશ નીચે મુજબ છે : એકેશ્વરવાદ : સૃષ્ટિમાં એક પરમતત્વ સંચરે છે એવી માન્યતા. માનવને ભાતૃસંધ : મુનેટડા એમ માનતા હતા કે પવિત્ર વસ્તુઓના મનનથી માનવીને એની અને દૈવીતત્વ “કામી ની વચ્ચેનો સંબંધ સમજાય છે. આવી સમજણને લીધે માનવી ધીમે ધીમે દેવતત્ત્વમાં પરિણમે છે અને જીવંત “કામ” સમાન બને છે. કેનકે કયો આ પંથના રથાપક કવાટે બં ને જન્મ ઇ. સ. ૧૮૧૪માં થયો હતો. તેઓ શરૂઆતમાં એક દાનવ કે'જનની પૂજા કરતા હતા. એમણે સબળ નૈતિક માર્ગને પ્રચાર કર્યો હતો અને સાથે જ અનેક દેવીતના માર્ગની વાત કરતા હતા. પરંતુ ૧૮૫૫માં એમની સખત માંદગીને પરિણામે એમના જીવનમાં અને વિચારમાં ઘણું પરિવર્તન થયું. પોતે જે તત્ત્વમાં માનતા હતા એ કોઇનમાં એમને સંશય થયે.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy