SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શિધર્મ 241 અને છતાંય એમાંના જે સારાં તો છે તેનો જાપાનના શિધર્મનાં તો સાથે સમન્વય કરવાનો પ્રયત્ન રહ્યો છે. એટલું જ નહિ પરંતુ મિકાડે વંશના વત્વના અંશને પણ એમણે પુનઃ સ્થાપિત કર્યો. આ રીતે ચીન અને હિંદુસ્તાન જેવા દેશ ઉપર એમણે ટીકા કરી અને એ દેશ ઉપર સૂર્યદેવીની કૃપા ન હોવાને પરિણામે ત્યાંના રાજ્યકર્તાઓ કાયમ નથી તેમ જ એ પ્રદેશમાં ભૂત, પ્રેત વગેરે અનિષ્ટ તને આગળ વધવાની તક મળે છે અને તેઓ માનવજાતિને ભષ્ટ કરે છે એમ સૂચવ્યું. આમ કરીને મંત્રીએ પોતાના પ્રદેશની અસ્મિતા વધારી અને હિંદુસ્તાન અને ચીનથી આવેલા લેક અને ધર્મોની પ્રતિષ્ઠા ઘટાડી. આ ઉપરાંત એમણે જાપાનના કમી-ને-મીચી ધર્મને લાઓત્રેના તાપમ સાથે સમરૂપ ગણીને એ ધર્મના મૂળ જાપાનમાંથી ઉખેડવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહિ પરંતુ એમણે મિકાડે વંશની પુનઃ પ્રતિષ્ઠા સ્થાપવાનું કહ્યું. “મિકાડે વંશ સદા સર્વદા અવિચ્છિન્ન રીતે ચાલ્યો રહ્યો છે, તે સ્પષ્ટ કરે છે કે કમી––મચી, નામને માર્ગ અથવા શિતો ધર્મ બીજા બધા દેશોના ધર્મો કરતાં અનેક રીતે ચઢિયાત છે.” શિધર્મના સમગ્ર ઇતિહાસમાં મંત્રીનું સ્થાન મહત્વનું છે. જાપાનના શિતો ધર્મના ઉત્થાનને માટે એમણે જાપાનના ધર્મની દેવભાવનાની અટપટી મુશ્કેલી કેવી રીતે દૂર કરી એને ખ્યાલ શિન્તધર્મની દેવભાવનાની વિચારણામાંથી આપણને મળશે. હિરત (ઇ. સ. 1776 - 1843) : હિરને અનેક ગ્રંથ લખ્યા અને એમ કરીને શિધમની લેકભોગ્ય સમજૂતી આપવાને એમણે પ્રયાસ કર્યો. આ ધર્મને સમજાવવા માટે એમણે કહ્યું : “બે મુખ્ય સિદ્ધાંત આ છેએક તે જાપાન દેવોને દેશ છે અને બીજે જાપાનવાસીઓ દેવોના વંશજો છે. જાપાનીઓ અને જગતની બીજી બધી પ્રજાઓ જેવી કે ચીનાઓ, હિંદુઓ, 6 એસ્ટન, ગ્રંથ 3, 5. 25 7 એજ, ગ્રંથ 3, પા. 27 8 એજ, ગ્રંથ 3, 5. 46 ધર્મ 16
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy