SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયના માનવ અને ધર્મ અનાદિ કાળથી એકમેક સાથે ઓતપ્રોત થયેલા હોઈ એ બને વિષે મહત્ત્વની થોડી વિગત મેળવવી આવશ્યક બને છે ખાસ કરીને ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરતા પહેલાં. ઉત્ક્રાંતિવાદે આપણને એ બતાવ્યું છે કે આજનો માનવ ઉત્ક્રાંતિના કયાં ક્યાં સોપાને વટાવી આજને તબકકે આવ્યો છે. એ સોપાનનું તાત્પર્ય બીજા અભ્યાસ-વિષયો માટે ભલે ગમે તે હોય પણ આપણું અભ્યાસ-વિષ્ય માટે એનું તાત્પર્ય એ છે કે માનવ એક વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ છે. સમગ્ર સૃષ્ટિના મુકાબલે માનવ અસ્તિત્વને વિચાર કરીએ ત્યારે આપણને એ રસ્પષ્ટ થાય છે કે માનવ અસ્તિત્વ સૃષ્ટિના ઉચ્ચતર રતરે છે. સૃષ્ટિના વિવિધ વિષય વિભાગો આ રીતિ વિચારી શકાય ? ક. પદાર્થગત ખવનસ્પતિજગત ગ. પ્રાણી જગત ઘ. માનવજગત માનવ એટલે ? સૃષ્ટિક્રમની આ ગોઠવણીથી એ સિદ્ધ થશે કે પદાર્થજગત કરતાં વનસ્પતિ-- જગતને ક્રમ ઊંચે છે, એ બંને કરતાં પ્રાણીજગતને ક્રમ ઊગે છે અને એ બધાયે કરતાં માનવજગતને ક્રમ ખાસ ઊંચે છે. ગતિ, સભાનતા, સમજ અને તકને આધારે તથા એના આધિપત્ય અનુસાર આ ક્રમ-ઠવણ પ્રાપ્ત થઈ છે. એમ કહેવાયું છે કે સમગ્ર સૃષ્ટિમાં માનવ કરતાં કંઈ મહાન નથી, અને માનવમાં એના મન કરતાં કંઈ મહાન નથી. આ કથનની યથાર્થતાની તપાસ એ આપણું ક્ષેત્ર બહારની વાત છે. પરંતુ એમાંથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું સૃષ્ટિમાં ખરેખર માનવી શ્રેષ્ઠ છે ? માનવીને એટલું આધિપત્યભર્યું સ્થાન આપવું ઉચિત છે? માનવમાં રહેલું મન શું ખરેખર શ્રેષ્ઠ છે ?" માનવનું અથાણું કરતાં એનામાં કોઈ વિશિષ્ટ પ્રકારનાં અંગેનું દર્શન પ્રાપ્ત
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy