SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 126 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 2. જન તત્વજ્ઞાન : જનધર્મનું હાર્દ સમજવા માટે જૈન તત્ત્વજ્ઞાનનો આ ખ્યાલ મેળવે આવશ્યક બને છે. જેના તાત્વિક મતાનુસાર સત્તા અથવા તે અંતિમ સત્ય અનાદિ તરીકે રવીકારવામાં આવે છે. અનાદિ હોવાને લીધે એનું સર્જન થયું છે એમ -કહી શકાય નહિ. આ સત્તાને માટે જૈનદર્શન ત્રણ વિશિષ્ટતાઓ રજૂ કરે છે. ખ. વ્યય : નાશ થવો અથવા તે અદશ્ય થવું. આમ, અંતિમ સત્તા ઉત્પાદ, વ્યય અને દ્રવ્યની વિશિષ્ટતાઓને અનુલક્ષીને સમજાવી શકાય. જૈન મતાનુસાર સૃષ્ટિને પ્રત્યેક વિષય અસંખ્ય ગુણો ધરાવે છે. એમાંના કેટલાક પર્યાય (Modes) છે અને કેટલાક ગુણ (Qualities) છે અને આ પર્યાય અને ગુણ હંમેશા એક જ પદાર્થમાં હોવા છતાં બદલાતા રહે છે. પ્રત્યેક પદાર્થ એના ગુણો સહિત એક કાયમી સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે, જ્યારે એમાં પર્યાય પલટો થતો રહે છે. આમ, જનમત અંતિમ સત્તાને વિશે તેમ જ સૃષ્ટિના પદાર્થો વિશે સાતત્ય અને પરિવર્તન બંનેને સ્વીકાર કરે છે અને આપણું પ્રત્યેક અનુભવની - આ બે હકીકત છે એને આપણને ખ્યાલ આપે છે. પરિવર્તનમાં સાતત્યની શોધ એ જ જેનમતનું મહત્વનું કર્તવ્ય છે. 3. પદાર્થ : પ્રાપ્ત થાય છે–એક, જીવ અને બીજે, અવ. -અ, જીવ પદાર્થ જીવ પદાર્થની ખાસિયત એની ચેતના છે ચેતન જેની સંખ્યા અનેક છે. આ ચેતન છે પણ બે પ્રકારના હોય છે. ક, બદ્ધ જીવ જે સંસારના બંધનમાં જકડાયેલા છે એ બધા બદ્ધ છ તરીકે ઓળખાય છે. આવા જ એકેન્દ્રિય કે કિષ્ક્રિય કે બૅન્દ્રિય, ચતુષ્ટ ઇન્દ્રિય કે પંચ ઇન્દ્રિય જીવો હોઈ શકે.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy