SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 5 જ્ઞાનાષ્ટક 85 85 ઉપર જણાવ્યા પ્રમાણે અનંતગુણ વિશુદ્ધિ થાય છે. આ કરણમાં રહેલે જીવ જે પ્રશસ્ત કર્મો બાંધે છે, તે શુભ છે, તે શુભ કર્મોને ચાર સ્થાનકરૂપ રસ હોય છે અને સ્થિતિ બંધ પણ પૂર્ણ હોવા છતાં બીજે (અશુભ કર્મન) સ્થિતિ બંધ પલ્યોપમના સંખ્યયભાગ એ છ એ છ બંધાય છે. હવે અપૂર્વકરણ વિષે કહે છે - “बीयस्स बीय समये जह एहमवि अणंतरुक्कस्सा" ઈત્યાદિ વચન આધારે—બીજું કારણ જે અપૂર્વ કરણ તેને બીજે સમય જઘન્ય વિશુદ્ધ કરનારને પણ પ્રથમ સમયના ઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનથી અનંતગુણ વિશુદ્ધિવાળે કહેવાયેગ્ય છે. આમ કહેલું છે –કારણકે યથાપ્રવૃત્તકરણની પેઠે પ્રથમથી નિરંતર વિશુદ્ધસ્થાને અનંતગુણ કહેવા ગ્ય છે. પરંતુ પ્રથમ સમયે પ્રથમથી જઘન્ય વિશુદ્ધિ સર્વથી ઓછી હોય તે પણ યથાપ્રવૃત્તકરણને છેલ્લા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાને રહેલાને જે વિશુદ્ધિ હોય તેથી અનંતગુણી ગણવી, તે પછી પ્રથમ સમયે જ જેને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે તે અનંતગુણ છે. તેથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ તેથી પણ તે જ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે, એમ દરેક સમય સંબંધી છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સુધી જાણવું. અપૂર્વ પરિણામની સ્થિતિ રહે ત્યાં સુધી રસઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ આદિ ક્રિયાઓ જેમાં થાય છે તે અપૂર્વ કરણ કહેવાય છે. અપૂર્વ કરણમાં પ્રવેશ કરનાર સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, અને અન્ય સ્થિતિબંધ એક સાથે શરૂ કરે છે. ત્યાં સ્થિતિવાત એટલે સત્તામાં રહેલાં કર્મોની આગળના
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy