SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 4 મહત્યાગાષ્ટક અનુવાદ :-- જ્ઞાન-દર્પણે જે દૌસે, પંચાચાર અભેદ, તે તે સુજ્ઞ ન મેહવશ, શું પર દ્રવ્ય ખેદ ! 8 જ્ઞાનમંજરી –સર્વ પદાર્થ જેમાં દેખાય એવા જ્ઞાનરૂપ આરીસામાં રહેલા સ્થપાયેલા જ્ઞાનાદિ આચારોથી જેની બુદ્ધિ અનેહર છે એવા આગમને અનુકૂળ આશયવાળા પુરુષ, પગલાદિ કેઈ કામમાં ન આવે તેવાં નિરર્થક પરદ્રવ્યમાં ક્યાં મેહ કરે ? જે જ્ઞાન આદિ પાંચ આચાર વડે સંસ્કાર પામેલા ઉપગવંત પુરુષ જ્ઞાન-દર્પણમાં આત્માના આનંદને દેખે છે તે પરદ્રવ્યમાં કેમ મેહ પામે? ન જ પામે. તવજ્ઞાનથી રહિત, અનાદિ મિથ્યાત્વ અને અવિરતિ સહિત તથા સ્વરૂપના અનુભવ વિનાના જીવને જ પદ્રવ્યને અનુભવ છે, તેમાં સુખની ભ્રાંતિરૂ૫ મેહ છે. સ્વભાવરૂપ ધર્મના નિર્ણય, જ્ઞાન અને રમણતારૂપ અનુભવના સુખરસમાં લીન થનારાઓને મેહ હેતે નથી; તેથી આત્મસ્વરૂપમાં લીનતા જ મેહ ત્યાગવાને ઉપાય છે. માટે જ અનાદિ ભ્રાંતિને દૂર કરીને આત્માના અનુભવમાં રસિકતાવાળા થવું. આત્મસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ અનુભવવાળા રહેવા ગ્ય છે. એમ આગમના શ્રવણથી અને કુસંગના ત્યાગથી તત્ત્વજ્ઞાન, તત્વજ્ઞાનના બળથી તત્પરુચિ, સંયોગોથી થયેલું સર્વ અનિત્ય, અશરણ, સંસારનું કારણ, આત્મા એકલે, સર્વ અન્ય પદાર્થો આત્માથી ભિન્ન, અન્યરૂપ, પરને સ્પર્શ એ જ અશુચિ, પરને અનુસરવું તે આસવ, સ્વરૂપને અનુસરવારૂપ સંવર, ઉદીરણાનાં કારણેમાં મગ્ન ન થવું ઈત્યાદિ પરિણતિવડે મેહને ત્યાગવા ગ્ય છે. 8
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy