SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મરણાદિરૂપ પુદ્ગલ દ્રવ્યનું નાટક જોતાં મેહરહિત પુરુષ ખેદ પામે નહીં, “વતિ સાથે મૌર્વે રવે” ઈત્યાદિ પાઠને પરૌપદ છે. અનુવાદ - પ્રતિપળે પરદ્રવ્યનું, નાટક દેખે તોય; ભવપુરમાં રહેતાં છતાં, અહીં ખિન્ન ન હોય. 4 જ્ઞાનમંજરી –સ્વરૂપથી ન છૂટે અને આત્મધર્મમાં લીન રહે એવા તત્વજ્ઞાની “અમૂઢ” કહેવાય છે, તે સ્વરૂપના સાધનમાં તત્પર હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીરૂપી શેરીઓમાં મનુષ્ય, તિર્યંચ, દેવ, નરક રૂપ સર્વ સ્થાનેમાં જન્મ, જરા, મરણ આદિરૂપ સંસ્થાન, નિર્માણ, વર્ણ આદિ અનેક ભેદોએ વિચિત્ર નાટક જ્ઞાની જોતા છતાં ખેદ પામતા નથી, પુદ્ગલકર્મના ફળની વિચિત્રતાને જાણે છે પણ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તત્ત્વજ્ઞાનીને ખેદ થતો નથી; ભ્રાંતિમાં ભૂલેલાને ખેદ થાય છે જ. તત્વજ્ઞાની કેવા છે? “અમૂઢ સંસારચકરૂપી શહેરમાં રહેતાં છતાં, એટલે અનાદિકાળથી પિતાનાં કરેલાં કર્મને પરિણામરૂપ રાજાની રાજધાનીરૂપ ચાર ગતિવાળા ભવચકની મધ્યમાં રહ્યા છતાં આત્માને ભિન્ન જાણનાર ખેદ પામતા નથી. “વિઘતિ વચ્ચે ઝ: " એ પાઠ સંસ્કૃતમાં છે તેથી પરઐપદ રૂ૫ “વત' પદ્યમાં વપરાય છે, એ વ્યાકરણ દોષ નથી, આથી કર્મના ફળરૂપ વિચિત્રતા ભોગવતાં છતાં જ્ઞાની બેદરહિત રહે છે. જે કર્મ કરતી વખતે અરતિ, અનાદર નથી થતે તે ભગવતી વખતે દ્વેષ શે કર? ઉદય આવેલાં કર્મ ભગવતી વખતે ઈષ્ટ, અનિષ્ટ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy