SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 262 જ્ઞાનમંજરી અનુવાદ :- ય જ્ઞાનથી દેખતા, મુનિને ભય છે હોય? જે નહિ ઢાંકવું, થાપવું, નહિ દેવું, તજવું કેય. 3 જ્ઞાનમંજરી - પરમાત્મભાવરૂપ સાધ્યના ઉપાયમાં પ્રીતિવાળા આત્મતત્તવના જ્ઞાનના અનુભવરૂપ સ્વસંવેદનમાં પ્રવીણ મુનિને ઢાંકવા ગ્ય કંઈ પણ નથી; સ્વધર્મ કઈ લઈ શકે તેમ નથી, તેને સંતાડ કેમ પડે? વળી જે ગુણ ન હોય તેને સ્થાપવાનું પણ તેને નથી, કારણ કે સ્વરૂપથી જ અનંત ગુણમય લેવાથી પરગુણ વડે તેનું સ્થાપન કે તેને આરોપ ક્યાંય કરવું પડે તેમ નથી. સર્વ છેડવા ગ્ય વસ્તુઓને હેયપણે (છાંડવા ગ્ય) કરેલી હોવાથી ક્યાંય છેડવા યોગ્ય રહ્યું નથી. સ્વધર્મને સમૂહ પરમાં જઈ શકતા નહીં હોવાથી ક્યાંય દેવાનું પણ નથી તેથી મુનિએ બચવાની અભિલાષાવાળા બની ભય સહિત ક્યાં રહેવા યોગ્ય છે? કઈ સ્થળે નહીં, કારણ કે પોતે જ પોતાને બચાવવા સમર્થ છે. કેવા મુનિ છે? સ્વ અને પર પદાર્થને સમૂહને જ્ઞાન વડે જાણતા, દેખતા મુનિ છે. 3 एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोहचमं मुनिः / बिभेति नैव संग्राम-शीर्षस्थ इव नागराद् // 4 // ભાષાર્થ –એક જ બ્રહ્માસ્ત્રને ગ્રહીને મેહની સેનાને હણ મુનિ, સંગ્રામને દેખરે રહેલા મહા મતવાળા (ઉન્મત્ત) હાથી સમાન બને જ નથી. અનુવાદ - રણગણે ગજરાજ સમ, નિર્ભય રહે મુનિરાજ બ્રહ્માસ્ત્ર એક જ ધારીને મેહસૈન્ય હણતા જ. 4
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy