SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 156 જ્ઞાનમંજરી સુખ દુઃખરૂપ છે, તેમાં રક્ત થયેલાને તે ગ્રહણ કરવા ગ્ય નથી. કાન, આત્મા એ મિલ રોગરહિત, જનના - નિજ આત્મતત્વના જ્ઞાનથી પૂર્ણ, જ્ઞાન કરીને તૃપ્ત થયેલાને આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન તે અમૃતના એડકારની શ્રેણિ સમાન પ્રગટે છે. કર્મવેગરહિત, નિર્મળ, પરમાત્માને અનુભવ એ તૃપ્તિનું લક્ષણ છે. આત્મભાવના, આત્મજ્ઞાન, આત્માનું ધ્યાન એ અમૃતના ઉપરા ઉપરી ઓડકાર સમાન છે. 7 सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो / भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरंजन: // 8 // ભાષાર્થ - ઇંદ્ર, વાસુદેવ આદિ પણ વિષયથી અતૃપ્ત (વિષચેના ભૂખ્યા) છે, સુખિયા નથી, એ આશ્ચર્ય છે, “નિરંજન” એટલે કર્મમલિનતાથી રહિત, જ્ઞાન વડે તૃપ્ત ભિક્ષુ ચૌદ રાજલેકમાં એક સુખી છે. અનુવાદ: સુખ નહિ ઇંદ્ર, ઉપેન્દ્ર પણ, વિષથી ન ધરાય; એક નિરંજન, જ્ઞાન તુમ ભિક્ષુ સુખી જગમાંય. 8 જ્ઞાનમંજરી - આ આશ્ચર્યની વાત છે કે ઇંદ્ર, વાસુદેવ (કૃષ્ણ) આદિ અનેક સુખી નથી. કેવા છે ઇંદ્ર, ઉપેન્દ્ર? મનહર ઇદ્રિયસંગરૂપ વિષયથી અતૃપ્ત છે; અનેક વનિતાઓના વિલાસ, પર્સ ભેજન, સુગંધી પુષ્પ વાસ, રમણીય મહેલ આદિ, કેમળ શબ્દનું શ્રવણ, સુંદર રૂપનું અવલોકન અને લાંબા કાળ સુધીના ભાગેથી તે ધરાયા
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy