SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 148 જ્ઞાનમંજરી ભવને ભેગવીને, શુભ અશુભ પુદ્ગલેને સમાન ગણવારૂપ સમતા નામનું તાંબૂલ (પાનના બીડાને સ્વાદ લઈને) ચાવીને મુનિ ઉત્કૃષ્ટ તૃતિ પામે છે. સાંસારિક ઉપાધિરૂપ પુદ્ગલથી ઉત્પન્ન થતા વિભાવથી રંગાયેલા અભ્યાસવાળા) આત્માને અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન, અસલ્કિયામાં રાગદ્વેષ કરવાની ટેવ હોવાથી, જગતની અંઠ જેવા નહીં ભોગવવા ગ્ય એવા રૂપ-રસાદિ વિષચેના અનુભવમાં મગ્નતાથી માની લીધેલી કે આરેપિત સુખરૂપ તૃપ્તિ તે ખરી તૃપ્તિ નથી; કારણકે તેની પ્રાપ્તિ થયા છતાં પણ તૃષ્ણા વધતી જાય છે તેથી તે તૃપ્તિ નથી. નિરંતર આનંદના અનુભવથી જ તૃપ્તિ થાય છે. માટે જ પુરુષે તજે છે વીજળીના ઝબકારા જેવા વિનાશી વનિતાના વિલાસે ને, અવગણે છે ઉદય આવેલા પુણ્ય પ્રભાવોને, ત્યાગ કરે છે ભેગમાં આસક્ત થયેલા સોબતીઓની સોબતને, વિરૂપ કરે છે શરીર શોભાના શેખને, ઊંડા ઊતરે છે સ્વાધ્યાય અધ્યયનથી તત્ત્વજ્ઞાનના શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અભ્યાસમાં અને કૃતકૃત્યતા માને છે ઉત્કૃષ્ટ અવસ્થામાં. 1 ફરીથી વળી નિત્ય તૃપ્તિ વિષે વર્ણન કરતાં કહે છે - स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी / ज्ञानिनो विषयैः किं तैय भवेत्तृप्तिरित्वरी // 2 // ભાષાર્થ - જે જ્ઞાની પુરુષને પિતાના જ્ઞાન-દર્શનચારિત્ર ગુણે વડે જ નાશ ન પામે તેવી, સદા કાળ રહેનારી તૃપ્તિ હોય તે જે વિષયોથી થડા કાળની તૃપ્તિ મળે તેવા વિષયનું શું પ્રયજન છે? કંઈ નહીં.
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy