SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 134 જ્ઞાનમંજરી આદિ, વિનય–વૈયાવૃત્ય આદિ સન્ક્રિયા કરવાથી તે જ સંસાર ટળી જાય છે, માટે સંસારને ક્ષય કરવા સંવર-નિર્જરા થાય તેવી ક્રિયા કરવા યોગ્ય છે. નામ સ્થાપના કિયા સુગમ છે. દ્રવ્ય કિયા શુદ્ધ કે અશુદ્ધ હોય. ત્યાં સ્વરૂપને અનુસરતી ગની પ્રવૃત્તિરૂપ ક્રિયા શુદ્ધ છે. કાયાની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ આદિ અશુદ્ધ પણ હોય છે ભાવકિયા વીર્યની પ્રવૃત્તિરૂપ છે; ઔદારિક આદિ કાયાની પુદ્ગલ–અનુયાયી પ્રવૃત્તિ સન્મુખ વીર્યની પ્રવૃત્તિ તે અશુદ્ધ ભાવકિયા છે અને સ્વગુણમાં પિતાનું પરિણમન થવામાં નિમિત્તરૂપ વીર્યની પ્રવૃત્તિરૂપ ક્રિયા શુદ્ધ ભાવકિયા છે. નિગમનયે કિયાના સંકલ્પને ક્રિયા કહે છે; સંગ્રહનચે સર્વ સંસારવાસી છે કિયાવાળા કહેવાય છે. વ્યવહારનયે શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પછી ક્રિયા કરે છે એમ કહેવાય. અજુસૂત્રનેયે કાર્યના સાધન માટે યુગની પ્રવૃત્તિને મુખ્ય કરી વીર્યના પરિણામ આદિની કિયા લેવી, શબ્દનયે વીર્યની ફુરણારૂપ કિયા ગણવી, સમભિરૂઢનયે ગુણની સાધનારૂપ સર્વ કર્તવ્યની પ્રવૃત્તિરૂપ કિયા લેવી, અને એવંભૂતનયે તે આત્મામાં તન્મય થવામાં વીર્યની તીવ્રતારૂપ સહાયક ગુણના પરિણમનરૂપ ક્રિયાને કિયા ગણવી. અહીં સાધકની સાધન ક્રિયાને અવસર છે. “નારર મુવ ' જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહ્યો છે, તેથી ચરણ ગુણની પ્રવૃત્તિ તે સ્વરૂપનું ગ્રહણ અને પરભાવના ત્યાગરૂપ ક્રિયા છે, તે મેક્ષને સાધનારી છે. તેથી આત્મજ્ઞાનીએ આત્મસાધના માટે સમ્યક ક્રિયા કરવા ગ્ય છે. તેને માટે
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy