SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 8 ત્યાગાષ્ટક 123 તે મારે ભોગવવા યોગ્ય એક સમતારૂપ સ્ત્રી હોય, એટલે તત્વજ્ઞાનનું અવલંબન લેનારાઓને સમતા વનિતા છે; સમાન આચારવાળા સાધુઓ મારા જ્ઞાતિલા, સ્વજન છે એમ ગણીને પુત્ર, પતી આદિને તાજીને ગૃહસ્થ ધર્મને તજનાર થાય; ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ તજીને ક્ષયે પશમથી પ્રાપ્ત થતી પિતાની સાધન સંપત્તિને સ્વીકારે છે. સંસાર પ્રવાહમાં અનાદિ કાળથી પ્રસંગ આદિ વિભાવ સંપત્તિને ગ્રહણ કરતે, ઈચ્છ, ભગવતે જીવ ભવનમાં ભટકે છે, તે જીવ સમ્યફજ્ઞાન-દર્શન સહિત ચારિત્રના સાધનરૂપ ધર્મમાં પરિણમતાં મેક્ષને સાધનાર બને છે, શ્રેયસાધક બને છે. 3 धर्मास्त्याज्या: सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि / प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् // 4 // ભાષાર્થ –બાવના ચંદનના ગંધ સમે ઉત્કૃષ્ટ (ક્ષાયિકપણે છે માટે-ક્ષપકશ્રેણીમાં હોય છે તે) ધર્મસંન્યાસ પામીને સત્સંગથી ઉત્પન્ન થતા પશમથી પ્રાપ્ત થયેલા ક્ષમા આદિક પણ તજવા ગ્ય છે. અહીં ઉત્તમ ધર્મસંન્યાસ તે તાત્વિક ધર્મસંન્યાસ સમજ. તે તાત્વિક ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણિ માંડતી વખતે આઠમે ગુણસ્થાનકે આવે. કહ્યું છે है:-"द्वितीया पूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत्” (योगदृष्टि સમુ -20) બે પ્રકારના સામર્થ્યથેગમાં પ્રથમ ભેદ ધર્મસંન્યાસ પરમાર્થે બીજા અપૂર્વકરણમાં હોય છે. પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વ લાભનું બીજું આઠમા ગુણસ્થાનકનું, ત્યાં પ્રથમ પ્રકાર જે ધર્મસંન્યાસ તાત્વિક એટલે પારમાર્થિક હોય. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથે એ જ કહે છે.
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy