SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - વિદૂષક બ્રાહ્મણ મુનિ હતા, તેથી તેમના પુત્ર પણ બ્રાહ્મણ જ હોય! છતાં શાપને લીધે તેઓની જાત પૃથ્વી ઉપર હલકી થવા લાગી, એમ કહેવામાં નાટયકલામાં કામ કરનાર સામાજિક દષ્ટિએ હલકા લેખાતા, એ સામાજિક સમાજને બેધ આપણને આ વર્ણન ઉપરથી થાય છે. શૈલૂષનો (એટલે કે નટનો) સામાજિક દરજજો નીચે. હેવાનો ઉલ્લેખ આપણને રામાયણ, મહાભારત અને અન્ય સાહિત્યિક ગ્રંથમાં જોવા મળે છે. નાની સંગતિમાં રહેવાને લીધે પિતા ઉપર દેવ આવ્યો હોવાનું બાણભટ્ટ હર્ષચરિતમાં વર્ણવ્યું છે. આમ, નટામાં રહેલી કલાની કિંમત રસિકે દ્વારા થાય, તે પણ નટને સામાજિક પ્રતિષ્ઠા મળતી નહીં. અર્થાત આજની જેમ સામાજિક દુરાગ્રહને ફગાવી દઈ એકનિષ્ઠાથી કલાની સેવા કરનાર કલાકારે તે જમાનામાં પણ હેવા. જોઈએ. રાજકુટુંબમાં રાજકન્યાઓને નૃત્ય, સંગીત તથા નાટ્ય શિખવવામાં આવતાં, અને હરદત્ત તથા ગણુદાસ જેવા બ્રાહ્મણે નાટ્યાચાર્ય તરીકેની વૃત્તિ. રાજીખુશીથી સ્વીકારતા. પરંતુ સામાજિક પ્રતિષ્ઠાને પ્રશ્ન બાજુએ મૂકીએ તે. પણ ધંધાધારી મંડળીઓમાં બહુસંખ્ય કલાકારો નીચલી કેમના અને અશિક્ષિત. જ હતા; અને એ અશિક્ષિત નર્ટ દ્વારા અભિનયમાં અતિશક્તિ અથવા ગ્રામ્યતા. આવે એ સ્વાભાવિક જ હતું. ઉપરાંત પ્રેક્ષકેમાં હાસ્ય નિર્માણ કરી તાલીએ. મેળવવાની ઇચ્છા સામાન્યપણે નટમાં હોય જ. આવાં એક અથવા અનેક કારણોને લીધે નાટયપ્રયોગમાં પ્રહસનાત્મક ભાગ અપરિહાર્ય થવા લાગે, ભરતપુત્રોની. કથાને આ અર્થ. આપણા માટે મહત્વનો છે. આ વિવેચન ઉપરથી આપણને કેટલાંક મહત્ત્વના મુદ્દાઓ મળે છે. નાટકમાં આવતા પ્રહસનાત્મક ભાગની પ્રેરણું લૌકિક કારણને લીધે છે. તેને સંબંધ માનવીય વૃત્તિઓ સાથે છે. નટના અભિનયમાંથી, અથવા તે લેકેને હસાવવાની તેની સ્વાભાવિક ઈચ્છામાંથી પરિહાસ તથા ઉપહાસ સાકાર થાય છે. આમાં કઈ વખતે કઈ ધાર્મિક આચાર હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવે તે તેને ઉદ્દેશ ધર્મનું વિડંબન કરવાને નહીં, પણ એ આચારના બાહ્યસ્વરૂપનો લૌકિક ઉપહાસ કરવાનો હોય છે. આ કાળમાં નાટયકલા ઉપર થયેલો ધર્મને પ્રભાવ કેવળ બાહ્ય આચારને ઉપહાસ પૂરતો મર્યાદિત સ્વરૂપમાં જ જણાય છે એ ભારતીય નાટયશાસ્ત્રને ઇતિહાસમાં નોંધવા જેવી વાત છે. જ્યારે કોઈ ધર્મવિધિ લેકેની કક્ષા સુધી આવી પહોંચે, અને તેને એક પ્રકારનું સામૂહિક સ્વરૂપ પ્રાપ્ત થાય, ત્યારે તેમાં અનુકૃતિને અંશ મોટા પ્રમાણમાં
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy