SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી વખત એળે તે હેતુ કાળાન્તરે ફિક્કો પડ્યા પછી પણ રૂઢ શાસ્ત્રની બહાર આવી નવી રૂઢિઓ નિર્માણ કરવાનું પછીના શાસ્ત્રકારોને સૂઝયું નહી; અને લેખકેને આવશ્યક લાગ્યું નહીં લોકાતુરંજન એ નાટકને મુખ્ય હેતુ હોવા છતાં શાસ્ત્રકારોએ અને લેખકોએ ભરતના નિયમોની ચે કસાઈ જાળવી રાખવાના પ્રયત્નમાં નાટકના સામાજિક હેતુને મારી નાખે. જે તેમ ન થાત તે પ્રકરણ અથવા પ્રહસન જેવા નાટયપ્રકારો લેકમાન્ય બની શકત, અને સામાજિક રીતરિવાજે અથવા સંસ્થાઓના ઉપહાસાત્મક ચિત્રણ માટે વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થઈ શકત, તેમ જ વિમેદને સંધાયેલો પ્રવાહ ફરી મુક્તતાથી વહી શકત. મેલિયરથી ઓસ્કર વાઈલ્ડ સુધીના પશ્ચાત્ય નાટકોની પરંપરા તપાસીએ તે નાટકકારોએ સમાજની ખરાબી અથવા ઢોંગ ઉપર પ્રહાર કરવા વિનેલું શસ્ત્ર કાયમ સજજ રાખ્યું હોય એમ જણાશે. તેમણે તીવ્ર ઉપહાસ દ્વારા નૈતિક મૂલ્ય ઉપર ચઢેલ કાટ ધોઈ નાંખે એટલું જ નહીં પણ માણસના મનમાં ચોંટી રહેલ પાયા વિનાની રૂઢિઓ અથવા કલ્પનાઓ પણ દૂર કરી. એનું પરિણામ એ આવ્યું કે સામાજિક વ્યવહારમાં કઈ પણ પ્રકારનું પ્રમાદ જણાતાં જ મન અસ્વસ્થ થતું. અને, મન અસ્વસ્થ થવું એ બુદ્ધિ છાતી અને જાગૃત હેવાની નિશાની છે. પાશ્ચાત્ય નાટકકા એ માણસની આ બુદ્ધિનિષ્ઠા જીવતી રાખી. પણ સંસ્કૃત નાટકના રૂઢિના બંધનને લીધે સામાજિક વિસંગતિની વ્યાપક અને ઊંડી શોધ કરનાર બુદ્ધિ અસહોય અને મૃત થઈ પડી હતી. કાનરંજનને ઉદ્દેશ અને સામાજિક મૂલ્યોનું ચિંતન એ બેમાં વિરોધ હોઈ શકે નહીં. સામાન્ય વિનેદી) નાટકમાં જ નહીં પણ તથાકથિત ગંભીર નાટકેમાં પણ વિદને બેવડે ઉપયોગ થઈ શકે એને કેઈને ખ્યાલ જ ન રહ્યો હોય એવું લાગે છે. અંતમાં, જેમ સાહિત્યિક રૂઢિઓને લીધે મોલિક નિર્મિતિને ધક્કો લાગ્યો, તેમ પ્રેક્ષકેની રસવૃત્તિએ પણ નાટકને એ ને એ જ ચીલે ચાલવા દીધા એ કહેવું આવશ્યક છે. નિશ્ચિત ઢાંચાના નાટકે જ પ્રેક્ષકોને પસંદ પડયા, અને તેવા થયેલ વિદૂષકને હિંમત અને ડહાપણુપૂર્વક પોતાના નાટકમાંથી કાઢી તેના બદલામાં “માલતીમાધવ'ના કામન્દી અને મકરંદ જેવા, તેમજ “ઉત્તરરામર્ચારિત માંના તેફાની અને રમતિયાળ સૌધાતકિ જેવા પાત્રો ચિતર્યા, પરંતુ તેની કદર થવાને બદલે જનમત દ્વારા તેની ઉપેક્ષા જ થઈ. ભવભૂતિને વિનદબુદ્ધિ
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy