SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર મળ્યા હતા. સમાજના અગ્રણી હેવાને તેમને રાહત દાવો હતે. તેઓ કડક આચારો બાહ્ય રીતે પાળતાં, પણ તેમની અંદર ઢોંગ અને શુદ્ર સ્વાર્થ છુપાયેલા હતા. તેઓ સામાજિક ધર્મશ્રદ્ધા ઉપર પિતાનું ગુજરાન ચલાવતા. આ વિશિષ્ટ વર્ગનું જીવન વિડંબન માટે અનેક વિષયે પૂરા પાડી શકે તેમ હતું. પણ હાસ્યકારક અથવા માર્મિક વિદથી ભરેલું એ વિડંબન કેટલો વખત ચાલી શકે? વિદૂષકનો વિનોદ કાળાંતરે ચૂંથાઈ ગયા. તેમાં કોઈ નવીનતા ન રહી. સદીઓ વહી ગઈ, પણ સંસ્કૃત નાટકમાં વિદૂષક “મહાબ્રાહ્મણ તે મહાબ્રાહ્મણ જ રહ્યો. તેને વેદ આવડતા નથી. તેને મંત્ર આવડતા નથી. તે લખવું જાણતે. નથી. તેનું ખાઉધરાપણું ઓછું થયું નથી. લાડવાની લાલચે તે રસેડાની આજુબાજુ ફેરા મારે છે. વિદૂષકનો આ વિનેદ વાસી બન્યા હતા. તેમાં નવીનતા માટે કઈ તક ન હતી, અને તેથી ઉત્તરકાલીન નાટકકારોને તેનું પિષ્ટપેષણ કરવું પડવું. વિદૂષકને સંબંધીવર્ગ મર્યાદિત છે. કેટલાક નાટકકારોએ તેને મા-બાપને ઉલ્લેખ કર્યો છે. કેટલાકે બ્રાહ્મણી” એટલે કે તેની પત્નીને ઉલેખ કર્યો છે. હશે" વિદૂષકને રૂઆબ બતાવવા પ્રયત્ન કર્યો છે. રાજાએ આપેલું સોનાનું કડું પિતાની પત્નીને બતાવવા તે રેફમાં જાય છે. વિદ્વશાલભંજિકામાં વિદૂષક બ્રાહ્મણને રંગભૂમિ ઉપર લઈ આવે છે, પણ એ દશ્યમાં ક્યાંય વિનેદ નથી જોકે વિદૂષક અને દાસીના પ્રસંગે માંથી વિનેદ નિર્માણ થવાની શક્યતા રહે છે, પરંતુ આવા પ્રસંગેની મર્યાદા પણ સ્પષ્ટ છે. કેઈ વખત વિદૂષક દાસીની મશ્કરી કરે છે. અથવા કોઈ વખત દાસી વિદૂષકની મશ્કરી કરે છે. પણ સામાન્ય રીતે દાસી ચતુર અને ચાલાક હોવાથી મોટે ભાગે વિદૂષક જ હાસ્યવિષય. થયેલ જણાય છે. અભિજાત નાટકોમાં એવા ઘણું પ્રસંગે જોવા મળે છે. દાસી વિદૂષકને “બનાવે છે, હરાવે છે અને કેટલીકવાર માર પણ ખવડાવે છે–આમ અનેકવાર તે હાસ્યવિષય બને છે. કેટલાક ઉત્તરકાલીન નાટકકારેએ એની બીજી બાજુ ચિતરી છે. બિહણના “કર્ણસુંદરી' નામના નાટકમાં એક વખત દાસી કેળના પાન, મૃણાલતંતુ વગેરે શીતલવસ્તુઓ પાલવ તળે સંતાડી લઈ જતી હોય છે, તે વિદૂષક જુએ છે. તે તેને પૂછે છે. પણ જ્યારે દાસી તેને કાંઈ પણ જાણવા. દેતી નથી, ત્યારે તે પોતે પાલવ તળે છૂપાવેલી વસ્તુઓ બહાર કાઢે છે. આખરે, નાયિકા કામ જવરથી પીડાતી હોવાને લીધે શીતલવસ્તુઓની આવશ્યકતા હોવાનું દાસીને જણાવવું પડે છે ! “વિદ્ધશાલભંજિકા’માં મેખલા નામની દાસી પિતાના પગ નીચેથી પસાર થાય તે માટે ચારાયણ (વિદૂષક) યુક્તિ રચે છે, અને દાસીએ
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy