SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩મું વિદૂષકનો વિનોદ વિનોદ પાછળ જણાઈ આવતી વિસંગતિ શારીરિક, માનસિક, વાસ્તવિક સામાજિક એમ વિવિધ પ્રકારની હોઈ શકે. વિનોદી લેખક એવી એક અથવા એનેક પ્રકારની વિસંગતિને ઉપયોગ હાસ્યકારક લખાણમાં કરે છે. એવાં લખાણ પાછળની લેખકની જે ભૂમિકા હોય તે પ્રમાણે તે લખાણનું, અને તેમાંથી નિષ્પન્ન થતા વિનંદનું સ્વરૂપ નક્કી થઈ શકે. લેખકમાં જે ખામી શોધવાની તેફાની વૃત્તિ હશે તે તેમાંથી ટીકાત્મક સાહિત્ય અવતરશે, મીઠા શબ્દમાં મર્મ પ્રહાર કરવાની ઈચ્છા હશે તો તેનાંથી ઉપરોધ અથવા વક્રોક્તિ નિર્માશે. આમ સાહિત્યમાં વિનોદ કયા સ્વરૂપે અવતરશે તે લેખકે સ્વીકારેલી ભૂમિકા ઉપર આધાર રાખે છે. કેઈન હેંગ જાહેર કરવાને ઉદ્દેશ હેય, કોઈની સીધી સાદી નિર્દોષ મશ્કરી કરવાની ઇચ્છા હેય, હેતુ ગમે તે હોય, તે પણ હાસ્યાસ્પતા વર્ણવતી વખતે જે લેખકના મનમાં હાસ્યાસ્પદ બનેલી વ્યક્તિ વિશે અનુકંપા હાથ, તે તેમાંથી નિર્માણ થતે વિનોદ પરિણત વિનોદ બને છે, અને એવા વિનેદને કેમેડીનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. લખાણ પાછળની લેખકની ભૂમિકાને વિચાર કર્યા વગર, સાહિત્યમાં વિનોદ જે સ્વરૂપમાં જણાઈ આવે છે, તેને જ જે આપણે અભ્યાસ કરીએ, તે શબ્દનિષ્ઠ, પ્રસંગનિષ્ઠ, વ્યક્તિનિષ્ઠ એવા વિનદના વિવિધ પ્રકારે આપણને જણાય છે. પરંતુ, વિનેદ આમ વિવિધ પ્રકારને હેય, તે પણ તેના ચોક્કસ વર્ગો પાડી શકાય નહીં. વિનોદમાં વિવિધતા હોય છે, અને વિવિધ સ્વરૂપે તે સાહિત્યમાં અવતરે છે. કેટલીક વખત વિનદના અવિષ્કારમાં આપણને વિવિધ પ્રકારના વિનેદની ભેળસેળ પણ થયેલી જણાય છે. વિસંગતિનું અચાનક જ્ઞાન વિનેદ નિર્માણ કરે છે. આ જ્ઞાન બે પ્રકારે થઈ શકે. જ્યાં વિરોધ હોવાનું આપણે માનતા હોઈએ, ત્યાં અચાનક આપણને સામ્ય જણાય, અને જ્યાં સામ્યની કલ્પના હોય ત્યાં વિરોધ જણાઈ આવે - આમ અચાનક અને અનપેક્ષિત રીતે થતું સામ્ય અને વિરોધનું જ્ઞાન જુદું જુદું સ્વરૂપ લે છે. કેટલીક વખત અનપેક્ષિત ઠેકાણે અમુક
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy