SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 82 હું આત્મા છું સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આ પાંચ લક્ષણે જેના જીવન વ્યવહારમાં પણ ઉતરી ગયા હોય, તેને નિશ્ચયનું લક્ષ થયું છે. બાકી વાતે તે બહુ મેટી કરે પણ જીવન વ્યવહારનાં કયાંય ઠેકાણું ન હોય! તે ઘણાં વર્ષો પહેલાં એક ભાઈ મુંબઈમાં મળ્યા હતા. તેમની સાથે કંઈક ચર્ચા ચાલી. સાધુઓની સમાચારી તથા સમાજ સાથેના વ્યવહારની. તે તે ભાઈ કહેઃ “મહાસતીજી! આત્માના આંગણામાં આવા વ્યવહાર હોય?” તેમને કહ્યું : “ભાઈ! સાધુ સમાજ વચ્ચે બેઠાં છે. સમાજ સાથે કંઈક આદાન-પ્રદાનને વ્યવહાર છે. જે એ વ્યવહારથી છૂટવું હોય તે આનંદઘનજીની જેમ સમાજ છેડી જંગલમાં ચાલ્યું જવું જોઈએ! જ્યાં સુધી એ નહીં બને ત્યાં સુધી મને-કમને બધા જ વ્યવહારે જાળવવા પડે ! પણ હું તમને પૂછું છું કે આટલી નિશ્ચયની વાત જાણે છે તે આત્માના આંગણામાં, કાળ-ળાં કરવાં પડે એ વેપાર ધંધો હોય? ઉત્તરમાં મૌન ! વાસ્તવિકતા સામી આવે ત્યારે માણસ જે હોય તે ઉઘાડો પડી જાય. ધર્મ-આરાધના એ કંઈ ખાવાના ખેલ નથી. નાના બાળકની રમત નથી. એ તે ખાંડાના ખેલ છે. નિશ્ચયને વાણીમાં ઉતારી દેવે તે સહેલું છે, પણ નિજાનુભૂતિ કરી સ્વને પામી લેવો એ જ મુશ્કેલ છે. જેણે સ્વના આલંબને જીવન વ્યવહાર રાખે છે તેમનું જીવન તે અદ્દભૂત હેય. જીવનના વ્યવહારો બધા જ જાળવવા પડે પણ તેમાં વિવેક હેય. શ્રીમદ્ રાજચંદ્રજીના વ્યાપારી જીવનને એક પ્રસંગ. તેઓ ઝવેરાતને ધંધે મુંબઈમાં કરતા હતા. એક વખત એક આરબ સાથે મતીને સેદ કર્યો. પેલે આરબ સે પતાવી પિતાની દુકાને જઈ મોટાભાઈને આ સેદાની વાત કરે છે. સાંભળી મોટે ભાઈ ગુસસે થાય છે. નુકશાનીને ધ કર્યો છે. આમ ન કરાય. નાને ભાઈ ગભરાયે શું કરવું ? તે ડરતે
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy