SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 294 હું આત્મા છું ગુસ્સો આવે. જે વ્યકિત તેને માટે પ્રતિકૂળ થઈ હોય તેના પર એ ક્રોધ કરે. ગુસ્સો આવે ત્યારે માણસ વિચારવા નથી ઊભે રહેતે કે સામે કેણું વ્યકિત છે. હા, પિતે વિવેકી હોય તે વાણી પર થે કાબુ રાખી શકે, બાકી કે તે આવે જ. - તમારા રોજિંદા જીવનમાં કેટલી વાર કોધ આવે છે તે વિચારે ! અને તેની પાછળનાં કારણને પણ વિચારે. ક્યારેક આ કારણે નજીવા હોય છે તે કયારેક મેટા પણ હોય છે. છતાં એ ખ્યાલ રાખવો જરૂરી છે કે કોધ કરવાથી જે કામ નથી સરતું તે સમતા રાખવાથી થઈ જાય છે. મુખ્ય વાત તે એ છે કે કઈ પણ વ્યક્તિને બીજા કેઈ તેના પર ક્રોધ કરે એ ગમતું નથી ! વિચિત્રતા તે ત્યાં છે કે પિતે બધાં પર ગુસ્સો કરે પણ તેના પર કઈ ગુસ્સો ન કરી શકે ! આ છે અહં ! ક્રોધ કરવાથી પિતાને આત્મા તે મલિન થાય જ છે પણ અન્યને કેટલે સંતાપ થાય છે ? અન્યને માનસિક પીડા પણ આપણે આપીએ છીએ. વાતાવરણ પણ દુષિત થઈ જાય છે. કયારેક માણસ એટલે ગુસ્સો કરે કે તે ઝગડાનું રૂપ ધારણ કરી લે ત્યારે કેટલા બધા માણસને ઉદ્વેગ વધે ? આત્મામાં હલચલ મચી જાય અને ફળ સ્વરૂપ વેરાનુંબંધનાં કર્મ બંધાય ? જીવનમાં સમતા ન હોવાનાં કારણે જ આજના યુગમાં કૌટુંબિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. કોઈ એક-બીજાનું સહન કરવા તૈયાર નથી. સહુ સહુના મનમાં સવાશેર છે. હું કેઈથી ય ઓછો નથી. આવી મગરૂરી બધાંનાં જ મનમાં ભરી છે. જેથી જીવન ઝરમય થઈ જાય છે. કર્મ બંધનથી બચવું હોય અને જીવનને શાંતિ-આનંદથી જીવવું હોય તે સમતા અને સહિષ્ણુતા અને કેળવવાની જરૂરી છે. કોઇ સંબંધી દેષ લાગે હેય તે મિચ્છામિ દુક્કડં. સાતમું પાપ માન - માન કહે, અભિમાન કહે, ગર્વ કહો, અહંકાર કહો. બધું જ એક. હું કંઈક છું. બીજા બધાં કરતાં શ્રેષ્ઠ છું કોઈથી જરા પણ ઊતરતો નથી. આવી જાતને પિતા વિષેને ખ્યાલ માનવને અભિમાનમાં રાચતે રાખે છે.
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy