SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 284 હું આત્મા છું પ્રથમ પ્રશ્ન છે શા માટે? મોટા ભાગનાં માનવે બેદરકારીથી જીવતાં હોય, નાના-મોટા કાર્ય કરતાં એને ખબર જ ન રહે કે આમ કરવાથી જીવહિંસા થાય છે. એનાં સમયમાં એને કાર્ય થઈ જવું જોઈએ તેથી જીવ દયા કરવા જેટલી, જીવની રક્ષા કરવા જેટલી ધીરજ નથી હતી. તેથી અર્થ સરતો હોય કે નહીં તે પણ છ મરતાં હોય છે. ત્ર-સ્થાવર બંને પ્રકારના જીની ઘાત થતી હોય છે. જો કે આપણું સમાજમાં જેને સંકલ્પ હિંસા કહીએ તેવી હિંસા તે થતી જ નથી હતી. જાણીબુઝીને કેઈનું ખૂન કરી નાખવું કે મારવાની બુદ્ધિથી કોઈપણ જીવને મારતાં હોતા નથી. કેટલાક એટલા અજ્ઞાની હોય છે કે તેને ભાન જ નથી હતું કે આમાં જીવ છે. તેમાં ય પાંચે સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ આ પાંચેયમાં એકેન્દ્રિય જીવે છે. એવી કેટલાકને જાણ જ નથી હોતી. તેથી આ વસ્તુઓને બેફામ ઉપયોગ કરતાં હોય છે. પાણીનાં વપરાશની તે કઈ સીમા જ નથી. જોઈતું વપરાય તેના કરતાં અણજોઇતું વધુ વપરાય. તમારી સરકારે તમને સગવડતા કરી આપી અને ઘરમાં પાણી આપ્યું તે દુરૂપયોગ વધી પડે. ગામની બહાર નદીતળાવથી પાણી લાવવા પડતાં હતાં ત્યારે આવો દુરૂપયોગ ન હતું. આ રીતે અગ્નિ-વનસ્પતિને ઉપગ પણ એમ જ થાય છે અને એકેન્દ્રિય જીવની ઘેર હિંસા થાય છે. મોટા આરંભ-સમારંભ ના કાર્યો પણ થતાં હોય છે અને તેમાં તે છકાય જેની હિંસા થતી હોય છે. જીવનમાં વધી ગયેલા આડંબરે દેખાદેખી ઈજજતનાં ખોટા ખ્યાલે વધુને વધુ આરંભ કરાવે છે. તેનાથી જ પ્રતિષ્ઠા મળતી હોય એવા ભ્રમમાં માણસે રાચતા હોય છે. આજના યુગમાં યુવાન વર્ગ તે માંસાહાર તરફ વળી રહ્યો છે. ઈડા ને વેજીટેબલ માનીને ખાય છે. અને બીજો અભક્ષ્ય આહાર પણ કરે છે. બેટી ભ્રમણામાં તેઓ રાચતા હોય છે કે માંસાહારથી વધુ પ્રેટિન,
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy