SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અપરાધને અલવિદા અરે! આ વેર-ઝેર થયાં હોય તે પણ કેટલી નાની વાતોમાં થયાં હેય? કઈ મેટી ભયંકર વાત પણ ન હોય! આપણી અસહિષ્ણુતા કેવી-કેવી ગાંઠ મનમાં બાંધી દે અને આ વૈરાનુબંધ –ભવ ચાલે. ગ્રન્થમાં આવા અનેક જીનાં વેરની વાત આવે છે. સમરાદિત્ય કેવળી સાથે જે જીવને વેર હતું તે નવ-નવ ભવ સુધી ચાલ્યું. નવમે એવે સમરાદિત્ય નિર્વાણ પામ્યા અને અગ્નિશર્મા નામના તેમના વેરી આત્માએ અનંત જન્મ-મરણની પરંપરા વધારી. અનંત સંસાર ભટક્યા ચાલ્યા ગયા. બંધુઓ ! વેરની પરંપરા એટલી ભયાનક છે કે જીવને તેમાંથી જલ્દી મુક્ત ન થવા દે. માટે જ ખૂબ ચેતીને ચાલવાની જરૂર છે. જે અનંત સંસારનાં દુઃખ ન જોઈતા હોય તે જેની સાથે વેર-ઝેરનાં ભાવે હેય તેની ક્ષમા માગી, ક્ષમા આપી, વેરથી મુક્ત થઈ જજે. પર્યુષણ પર્વની આરાધનાની સફળતા તે એમાં જ છે કે જ્યારે આપણાં અંતરની વિષમ વૃત્તિઓમાં સુધારો થાય. પર્યુષણની સફળતા એમાં ન માનશે કે આપણે ત્યાં ઉપાશ્રયમાં કેટલું માણસ વ્યાખ્યાનમાં આવ્યું? કેટલી વધુ તપશ્ચર્યા થઈ? લેકે આવીને કહી જાય છે. મહાસતીજી આપનું આ ચોમાસુ સફળ! રોજ 2500-3000 માણસ વ્યાખ્યાનમાં આવતાં હતાં. વળી 150-200 તપશ્ચર્યા થઈ. વાહ-વાહ થઈ ગઈ! ના, હું એમાં સફળતા માનતી નથી. ગમે તેટલું માણસ આવે કે ગમે તેટલી તપશ્ચર્યા થાય પણ જેટલા પિતાને સુધારી શક્યા કપાયને મંદ કરી શક્યા, રાગ-દ્વેષ ને પાતળા પાડી શક્યા અને આત્મલયે જેની સાધનાની દષ્ટિ ખુલી એટલાએ જ પર્યુષણ ઉજવ્યા. બાકી તે રૂટિન છે, પરંપરા છે માટે આવવું, આવીને ચાલ્યા જવું. પછી ભલે એ અઠાઈનવાઈ કે માસમણ કરી લે. પણ આત્મ લક્ષ્ય જાગૃત ન થયું. અંતરનાં વિકારો ના શમ્યા. સમતા-ક્ષમાને સ્પર્શ આત્માને ન થયે તે સરવાળામાં શૂન્ય! ભૂલ કરી હોય તેની ક્ષમા માગીને, અને ક્ષમા માગવા આવે તેને ક્ષમા આપીને હળવા થઈ જજો. દિલને થોડું વિશાળ બને, થોડા
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy