SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિ વહી નિજભાવમાં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવને સંપૂર્ણ અકર્તાભાવ તરફ લઈ જાય છે. અકર્તાભાવ જ જીવનું નિજ સ્વરૂપ છે. પિતે કર્તા ન હતા છતા, કર્તા હેવાનું અહં કાયમ કરતો રહ્યો છે જીવમાં જ્યારે વિવેક-ટિ જાગૃત થાય છે. ત્યારે યથાર્થતા નું ભાન થાય છે તેની વિપરીત માન્યતાઓ બદલાઈ જાય છે. તેની શ્રદ્ધામાં સત્ તત્વ ઉતરે છે. સુપાત્ર-જિજ્ઞાસુ શિષ્ય વિવેકને જાગૃત કરી શક્યા છે. નિજ પદને અનુભવ પિતામાં રહેલ યથાર્થતાનું ભાન કરાવે છે. પિતે જે-જે અનુભવી રહયે છે તે ગુરુદેવ સમક્ષ બતાવી રહ્યો છે. શિષ્યનાં આત્માનુભવને ગુરુદેવ સમક્ષ રાખવાથી એ અનુભવની નિરંતરતા વધતી જશે, એ સચોટ વિશ્વાસ છે. તેથી એક પછી એક અનુભવ બતાવી રહ્યો છે. આત્માના શુદ્ધ ચિદ્રપ સ્વરૂપને અનુભવ કર્યા પછી આત્મ પ્રદેશનાં પરમ સ્થિરત્વરૂપ અકર્તાભાવને અનુભવ શું છે તે કહી રહ્યો છે કર્તા બૅકતા કમને, વિભાવ વતે જયાંય વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય...૧ર૧.... હે ગુરુદેવ! જીવને કર્તા-ભોક્તા ભાવ કયાં સુધી છે તે હવે મને સમજાયું. ઊંડાણમાં ઉતરી ચિંતન કરતાં અનુભવ થયે કે જીવ વ્યવહાર ન કરી અનેક પ્રકારે કર્તા-ભોક્તા મનાય છે. જેમકે અશુદ્ધ વ્યવહાર નયથી આ જીવ અનેક પદાર્થોને કર્તા છે. ઘર-નગરને કર્તા છે, ઘટ
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy