SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વિરનું વીરત્વ 227 ઉડતાં પક્ષીઓને કેદમાં પૂર્યા છે! શા માટે એની સ્વતંત્રતા છિનવી લીધી છે? ક અધિકાર છે તમને? આમ વર્ધમાનનું અંતઃકરણ તે વ્યાકૂળ થઈ ગયું. એને ક્યાંય ચેન પડતું નથી. એક દિવસ કેઈનેય કહ્યા વિના જ્યાં પ્રાણીઓ હતાં ત્યાં પહોંચી ગયે. પિતાનાં પ્રભાવથી પહેરેગીર અને અન્ય માણસોને ત્યાંથી દૂર જવા કહ્યું અને પાંજરામાં રહેલાં પશુ-પંખી સહુને છોડી મૂકયા. મુક્ત થયેલા પશુ-પંખી ગેલમાં આવી જઈ પિત-પિતાને માર્ગે દોડી ગયાં. મહારાજા સિદ્ધાર્થને જાણ થઈ કે આખું સંગ્રહાલય ખાલી પડ્યું છે. શું થયું અને કેણે આ કાર્ય કર્યું તે કઈ જાણતું નથી ! સંગ્રહાલયનાં રખેવાળે પણ પિત–પિતાના ઘરે ચાલ્યા ગયા છે. રાજા સિદ્ધાર્થે ત્રિશલાને પણ પૂછયું, કે આ શું છે? ત્રિશલા કંઈ જવાબ આપી શક્તા નથી. ત્યારે મહારાજા, વર્ધમાનનાં આ કાર્ય પાછળ પડેલી કરુણાને જાણી શકતા નથી. પણ નાનકડા કુમારનાં તેફાને દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. એ વધતાં જ જાય છે. હવે કુમાર કાબુમાં રહેતું નથી. એમ સમજી જે તેને ગુરૂકુલમાં ભણવા મૂક હેય તે કંઈક શાંત થશે. આવું વિચારવા માંડયા. અને રાજા સિદ્ધાર્થ સારે દિવસ જોઈ વર્ધમાનને ભણવા માટે ગુરૂકૂળમાં લઈ ગયા. સુંદર અને તેજસ્વી બાળકને જોઈ ગુરુ પણ ખુશ થયા. અને બાળકને શિક્ષાને પ્રારંભ કરાવે છે. એ સમયે બાળકોને ધર્મનું જ્ઞાન પહેલું દેવામાં આવતું અને પ્રારંભ પણ એનાથી જ થતું. પ્રથમ ભગવાનનું નામ શિખવવામાં આવતું. આજ ક્યાંથી શરૂ થાય છે? Dog-ડેગ, Cat-કેટ, તમારા બાળકે કૂતરા-બિલાડાથી ભણવાનું શરૂ કરે છે અને તેનાથી ડરે છે. વર્ધમાનને કુલપતિ પ્રથમ જ શીખવાડે છે! બેટા! તુ નમે ભગવતે શ્રી અરિહન્તાય.” વર્ધમાન કુમાર બોલે છે. 34 નમે ભગવતે શ્રી મહાવીરાય.” “અરિહન્તાય બેલ બેટા, એ ભગવાનનું નામ છે.”
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy