SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આરોહ અવરોહ 181 નથી લાગતી. વિશ્વભૂતિ એ કાયાને ઘણું કષ્ટ આપ્યું હતું, મનને પણ તાવ્યું હતું. અને એ રીતે તેમણે ઘણું સહન કર્યું હશે. પણ જીવનનાં - સત્યાનાશની એક ક્ષણ આવે છે અને બાજી ઊંધી વળી જાય છે. આટલી બધી ઊંચી દિશામાં પહોંચ્યા પછી પણ મેહનીયનાં આ ભાવે જીવને ભટકાવે છે. મુનિ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનાં ભાવમાં હતાં પણ અસહિષ્ણુતાનાં કારણે, વિશાખાનંદીનાં નિમિત્ત ક્રોધ અને અહં જાગ્યું અને ફરી મિથ્યાત્વદશારૂપ પ્રથમ ગુણસ્થાને આવીને પટકાઈ પડ્યા. માટે જ મહાયોગી આનંદઘનજી મહારાજે સાધનાનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જે કહ્યો છે. પળ-પળની જાગતિ અને સતત સાવધાનતા એ માગ માગી લે છે. - અરે ! આપણને વિચાર થાય કે જ્ઞાનાદિની આટલી આરાધના કરનાર મુનિને પિતે ચૈતન્ય અને શબ્દ જડ આટલું ભાન નહીં હોય ! તેઓએ વિચાર્યું હતું કે હું ચૈતન્ય આત્મા અનંત શક્તિવાન અને શબ્દો જડ. એ મારા ચૈતન્યને શું કરી શકે? ખરેખર! શબ્દો સાંભળતા આ દષ્ટિ પણ આપણ ને અસર ન કરી શકે. મનથી એક વાર નિર્ણય થે જોઈએ કે જડ શબ્દની કંઈ તાકાત કે મને એ અસર કરી જાય ! ગમે તેવા શબ્દો સાંભળીશ પણ અસર નહીં થવા દઉં. એક વાર આ નિર્ણય કરી હંમેશા ચિંતન રાખો. જ્યારે-જ્યારે કડવા શબ્દો સાંભળવાને મેકો આવે ત્યારે–ત્યારે તરત જાગૃત થઈ જાવ. શબ્દોમાંથી કડવાશનું વિષ કાઢી નાખો. બંધુઓ ! ઝેરી સાપની દાઢ જ કાઢી નાખવામાં આવે ઈયળથી ડરવાનું ન હોય, તેને તે હાથમાં લઈ બહાર મૂકી દઈએ. બસ એ જ રીતે શબ્દનાં વિષને શબ્દમાંથી કાઢી લઈએ તે તેની શક્તિ પણ આ કરવામાં આત્મિક શક્તિની જરૂર છે. અહીં સત્તા, સંપત્તિ કે તમારા ઘમંડની શકિત ચાલતી નથી. વ્યવહારિક જગતમાં કોઈ પાસેથી કામ કઢાવવામાં સત્તા, સંપત્ત કે ઘમંડ કામ લાગતું હશે. પણ અહીં
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy