SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર હું આત્મા છું તપે છે એટલે લાખો-કરોડ કમાઈએ છીએ, પણ હું પૂછું કે જ્યારે તમારી ફેકટરીના મજુ strike પર જાય છે ત્યારે શું થાય છે? કેટલું નુકશાન વેઠવું પડે છે! ભલેને મજુર strike પર હોય, તમે ફેકટરીમાં ઉત્પાદન કરી લે ને! નથી થતું. એટલે જ એ સમજવું જરૂરી છે કે મારા નેકરોનાં સહગથી જ હું કમાઉ છું. મારા એકલાનું તે ગજુ જ નથી. માટે અભિમાન રાખવા જેવું નથી. નયસાર સમજે છે. નેકરો પ્રત્યે પ્રીતિને ભાવ છે તથા પહેલાં બધા જ માણસને પીરસવાનું કહે છે. અને સાથે-સાથે તેને એક નિયમ હતે કે પહેલાં કોઈ અતિથીને જમાડીને પછી જ જમવું તેથી અતિથી મળે તો સારું એવી ભાવના ભાવે છે. જો કે મનમાં સંદેહ છે કે આવા ઘેર જંગલમાં અતિથી ક્યાં મળે ? છતાં તેનાં અંતરમાં રહેલ ‘અતિથી તેવો મા' ની ભાવના રાહ જેવડાવે છે. તે પાસેનાં એક વૃક્ષ પર ચડી ગયે અને દૂર-દૂર નજર નાખી કે આસપાસ કોઈ સંત-સંન્યાસી-ત્યાગી મહા ત્મા દેખાય છે તેઓને બેલાવી પહેલાં ભોજન કરાવું પછી જ હું જમું. બંધુઓ ! નયસારની ભવિતવ્યતા જાગૃત થવાની હતી, સમય પાકી ગયે હતે. તેનાં અંદરનું ઉપાદાન તૈયાર થઈ ચૂકયું હતું. તેથી જ વૃક્ષ પરથી દર, સુ-દૂર એક નિગ્રંથ મુનિને આ બાજુ આવતા જોયા. જેવા જોયા કે વૃક્ષ પરથી ઉતરી એ દિશામાં દેડ. મુનિ પાસે પહોંચી ગયે. ચરશેમાં પડી ગયે. અંતર આનંદના અતિરેકથી ગગદિત થઈ ગયું છે. મહાન ભાગે આ અઘોર અટવીમાં સંતના દર્શન થયા. તે પૂછવા લાગ્યાઃ “પ્રભુ! આવા ભયંકર તાપમાં આપ એકલા અહી ?" મુનિ કહે છે “ભાઈ ! એકલો નથી. સાધુનાં સમુદાય સાથે હતે પણ થડે પાછળ રહી ગયે અને રસ્તે ભૂલી ગયે. ક્યારને આ વનમાં આમ થી તેમ ભટકું છું. રસ્તે મળતું નથી.” ભગવંત ! આપ મારી સાથે પધારે ! જે કે આપને ઘણું કષ્ટ થયું હશે. છતાં મારા તે સૌભાગ્ય કે આ સમયે મને આપનાં દર્શન થયા. આપ પધારે. મારી સાથે પાંચસો માણસને કાફલે છે. ભેજન તૈયાર છે. મને
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy