SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 150 આત્મા છું જ રહીશું. વિટંબણાઓને પાર નહીં આવે. જન્મ-મરણના ચકમાંથી મુક્ત નહીં થઈ શકીએ. માટે જ શ્રદ્ધા સહિત આ માર્ગનું અનુસરણ કરીએ. માત્ર ગતાનુગતિક નહીં. પર્યુષણ આવ્યા છે. આપણે જૈન છીએ માટે જવું જોઈએ. અહીં આવીને કંઈક સાંભળી લીધું. થોડું તપ-ત્યાગ કરી લીધું અને મનને સમજાવીએ કે આપણે ધર્મ કરી લીધો. તે બંધુઓ! બહુ મોટા ભ્રમમાં છે. ભગવાને સાધુધર્મ અને શ્રાવક ધર્મ, બે ધર્મ બતાવ્યા. શા માટે ? હું ઘણીવાર આ બાબત કહું છું કે શ્રાવકેએ સમજવું જોઈએ કે તીર્થકરો ચાર-તીર્થની સ્થાપના કરે છે. ધર્મ માત્ર સાધુઓ માટે જ નથી બતાવ્યું પણ શ્રાવકે માટે પણ બતાવ્યું છે. પરંતુ કેટલાક ગૃહસ્થીઓ એવું માનતા હોય છે કે ધર્મ તે માત્ર સાધુઓને માટે જ છે. ગૃહસ્થીને ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી. અરે! શ્રાવકે તે કહેતા હોય છે. મહારાજ! આ ધર્મને ઠેકે તમને સે છે! તમે જ બધું કરો અમારે જરૂર નથી ! નહીં બંધુઓ ! એમ નથી. સર્વજ્ઞ–સર્વદશી પરમાત્માને પ્રપિતા આ ધર્મ, તેમાં ભૂલ હેય નહીં. પ્રભુ જાણતા હતા કે ગૃહસ્થાશ્રમમાં રહેલ ગૃહસ્થીને પણ કોઈ ધર્મ છે. તમે જેમ તમારા ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ નિભાવે છે તેની સાથે તમારા આત્મા માટે પણ કંઈક ફરજ છે. ધર્મ એ શું છે? આત્મા પ્રત્યેની ફરજનું નામ જ ધર્મ છે. સહુને પિત–પિતાને આત્મધર્મ છે. બંધુઓ! તમે આત્મા છે તે તમારી કંઈક આત્મા પ્રત્યે ફરજ પણ છે. જે તમે જડ હોત તે તમને કંઈ કહેવાની જરૂર ન રહેત. પણ જડ નથી. તમે ચૈતન્ય છે. તેથી જ ધર્મને સમજ પડશે, આચરે પડશે. નહીં તે જડ-જગત જીવને ભટકાવ્યા કરશે. વિચારે તે ખરા કે તમારી રુચિ કયાં છે? પ્રીતિ કયાં છે? માત્ર જડ જગતનાં વિલાસમાં જ કે અન્ય કોઈ સ્થળે ? તમને પૂછું છું કે જડ સાથે તે બહુ ખેલ્યા, પણ ચૈતન્ય જગતમાં કયારેય ઊંડા ઉતર્યા છો? આપણે સહુ ભાગ્યશાળી છીએ કે આપણા ચેતન આત્માનાં દર્શન કરાવે એ સર્વજ્ઞ કથિત ધર્મ આ પંચમકાળમાં
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy