SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 140 હું આત્મા છું સ્કરણીય જ નહીં પણ આચરણીય છે. તે તેમાંથી કઈ ગુણેને પ્રાધાન્ય ન આપ્યું અને દેહાતીત દશાને શા માટે પ્રાધાન્ય આપ્યું ? એ, આપણા જેવા છે. આપણી છે. આપણા શ્રીમદ્જી આ શાસ્ત્ર, આપણું જેવા દેહધારી છે કે જેમનામાં દેહભાવ પડે છે તેમની સામે રાખી રહ્યા છે. આપણા આત્મામાં એ જ અનંત ગુણો છે કે જે અરિહંત પરમાત્મામાં છે. તેઓના વ્યસ્ત છે. આપણા અવ્યકત છે. એ ગુણ અવ્યક્ત હોવાના કારણે આપણે અનુભવી શકતા નથી. પણ આપણો દેહ અને દેહભાવ એટલા વ્યક્ત છે કે જેને આપણે ક્ષણે-ક્ષણે અનુભવી રહ્યાં છીએ. દેહભાવ એક ક્ષણ માટે લેપતે નથી સુષુપ્તિમાં કે જાગૃતિમાં દેહમાં થનાર પરિણમનને અનુભવી જ રહ્યાં છીએ. દેહના એક પણ રોમરાયમાં કંઈ પણ થાય તે તરત વેદીએ છીએ. તેનાથી ઉત્પન સુખ-દુઃખને વેદીએ છીએ. પણ વેદવાવાળ કેણ છે તેની આપણને ખબર નથી. જે થોડા જ ઊંડા જઈને વિચારીએ તે સમજી શકીએ છીએ કે દેહમાં થતાં પ્રકમ્પનેને વેદનાર અન્ય કેઈ છે. અને તે દેહથી જુદો હોય તેવું જણાય છે. પણ આપણે ઊંડા જતા નથી. ઉપરના સ્તર સુધી જ રહીએ છીએ. તેથી દેહભાવથી બહાર આવતાં નથી. એમ દેહની સતત અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ દેહાધ્યાસ. જયાં સુધી દેહાધ્યાસ અનુભવી રહ્યા નથી, છે ખબર નથી અને વેદીએ છીએ જે થાય તે એક તે આપણને દેહભાવમાંથી છોડાવી આત્મોન્નતિના માર્ગે ચડાવવા માટે અરિહંતના આ ગુણને લક્ષ્ય કરીને કહ્યું છે અને બીજું આપણે એટલી જ જરૂરી છે એ બતાવવા માટે. તેને એમ થાય કે આવી દેહાતીત દશા કેમ આવતી હશે? દેહ હોવા છતાં નથી એ કેમ આવતી હશે? દેહ હોવા છતાં નથી એ કેમ મનાય? દેહમાં થનાર પીડા–વેદનાથી અલિપ્ત કેમ રહેવાય? એ સુખ-દુઃખનાં સંવેદને કેમ ન થાય? આપણા માટે આ પ્રશ્નો પેગ્ય જ છે. પરંતુ જ્ઞાનીઓ તેને ઉત્તર પણ એ જ ગ્ય આપે છે. તેઓએ અનુભવ્યું છે,
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy