SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સકલ જગત તે ઍડય..! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જડ-ચેતનની ભિન્નતાની અનુભૂતિ કરાવવાની સાથે બને દ્રવ્યને યથાર્થરૂપ ઓળખાવે છે. જડ તે જડ છે. અને ચેતન, ચેતન છે. આટલું સમજવા પછી પણ બને દ્રવ્યના ગુણ પર્યા ને જાણવા આવશ્યક છે. - શ્રીમદ્જી એ જ સમજાવે છે કે જેણે આત્માની અનુભૂતિ કરી, ચેતન્યને યથાર્થરૂપે જાણી લીધું છે તેની દષ્ટિ એવી ખુલી ગઈ હોય કે જડ દ્રવ્યને, જગત જે રીતે જોતું હોય, તેના કરતાં કંઈક જુદી જ દષ્ટિથી એ જેતે હેય. આખા યે જડ જગત સાથેના આંતરિક સંબંધે તેના બદલાઈ ગયા હોય. જ્ઞાનીની સૂમ દષ્ટિ જડ પદાર્થોના ઊંડાણ સુધી પહોંચતી હોય, જીવનને અભિગમ પણ બદલાઈ જાય. એ પહેલાં જે રીતે જીવતે હેય તેનાથી તદ્દન ભિન્ન રીતે તેનું જીવન વહેવા માંડે. દષ્ટિ બદલાતાં સૃષ્ટિ બદલાઈ જાય. આવા જ્ઞાની છે પૌગલિક પદાર્થોને કઈ રીતે મૂલવતા હોય તે બતાવતાં શ્રીમદ્જી કહે છેસકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશાં, બાકી વાચા જ્ઞાન...૧૪૦... - અજ્ઞાની માનવ આખા યે જગતને માત્ર બુદ્ધિના માપથી માપતે હોય. બુદ્ધિની સીમામાં જેટલું આવે એટલું જ આ જગત. એથી વિશેષ કંઈ નહીં. આવી અજ્ઞાન માન્યતા તે ધરાવતે હેય. પણ બુદ્ધિ ગમે તેટલી
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy