SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જીવ છે સિદ્ધ સમ 97 બધા અનાજમાંથી માત્ર થોડા જ દાણા ખેતરમાં વવાય છે. જેટલા વવાય તેટલા જ ઊગે. એકમાંથી અનેક થાય. પણ બીજા કેટલાક આ વર્ષે નહીં બીજે, ત્રીજે કે એથે વર્ષો વવાયા તે તે ત્યાં સુધી પડયા રહ્યા. પિતામાં રહેલ ઊગવાની શક્તિ મેડી કામ આવી. પણ બાકીના દાણુ તે ગૃહસ્થના ગયા. જે દાણા ખાવામાં વપરાઈ ગયા તેનામાં ઊગવાની યોગ્યતા ન હતી? હતી. પણ તેને ઊગવાને વેગ જ ન મળે તેથી મૂળમાં ગ્યતા હોવા છતાં ઊગી શક્યા નહીં. બસ, આવું જ છે નિકટ ભવ્ય, દુર્ભાગ્ય અને અભિવ્ય છે માટે. નિકટ ભવ્ય જીવને બહુ જલદી સમ્યદર્શન પામી સિદ્ધત્વ સુધી પહોંચવાના વેગ મળે છે. તે પિતાની સિદ્ધત્વરૂપ પર્યાયને પામી પિતાનું ભવ્યત્વ-સિદ્ધિત્વ સાબિત કરી બતાવે છે. દુર્ભવ્ય જીવને ઘણું પુગલ પરાવર્તનમાંથી પસાર થયા પછી આ વેગ મળે છે અને છેવટે તે પણ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. પણ અભવ્ય જેના મૂળભૂત સ્વરૂપમાં સિદ્ધત્વની ગ્યતા હેવા છતાં તે પોતાના સિદ્ધત્વને જાગૃત કરી શકે તેવા યોગ જ મળતા નથી તેથી તે કયારે ય સિદ્ધ થઈ શક્તા નથી. અહીં શ્રીમદ્જી, જેમાં સિદ્ધત્વ છે તેમ નિર્દેશ કરીને, ભવ્ય જેને સંબોધીને કહે છે કે સમજે, શ્રદ્ધા આણે અને પછી આચરે અર્થાત સમ્યફજ્ઞાન સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રની આરાધના કરે તે જરૂર સિદ્ધિ પામી શકે, પણ તે માટે બે શરત મૂકી. પામવાનું તારે જ. પુરુષાર્થ પણ તારે જ. ઉપાદાન પણ તારું જ. તે છતાં એ બધાંનો પાછળ જે Power છે તે નિમિત્તોને છે અને આવા સુંદર કાર્યો માટે નાં નિમિત્તો પણ એવા જ ઊંચા, એવા જ આદર્શ ! એને જે અપનાવી લે તે પછી સિદ્ધિ દૂર નહીં હોય. તારે સ્વચ્છ અને પ્રતિબંધ આ બે તેડી એક તે સદ્ગુરુની આજ્ઞાએ વત્યે જા અને બીજુ જિનશાન
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy