SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 307 અવ્યાબાધ સ્વરૂપ અહીં અભક્તા અર્થાત કર્મનાં ઉદયને જ રોકી દે તેમ નહી પણ પ્રદેશદયમાં આવેલા કર્મોને વિપાકેદય થવા ન દે. એટલે કે જીવમાં એવી પરિણામધારા વર્તતી હોય કે પ્રદેશદયમાં આવેલા કર્મોને ક્ષયેપશમ કરતો રહે. તેથી ઉદયમાં આવેલા કર્મો તેને વેદનરૂ૫ ફળ ન આપે. શરીરમાં ઉદય દેખાડતું વેદનીય કર્મ, મેહનીયનાં વિપાકોદયનું નિમિત્ત છે. પણું જીવ મોહનીયને પ્રદેશદય થાય તેને રેકી ન શકે પણ તેનો વિપાકેદય ન થવા દે એટલે તેને વેદે નહીં. ભૂતકાળમાં જે-જે મહાપુરુષે પોતાનાં સાધનાકાળમાં ભયંકર ઉપસર્ગ–પરીષહેમાંથી સાંગોપાંગ બચીને બહાર નીકળી ગયા. તેની પાછળ આ જ કારણ મહાવીરનાં પગમાં ખીર રંધાય કે બાહુબલીનાં શરીરે અસંખ્ય વીંછી ડંખ દે. બંને મેહનીયનાં ક્ષેતૃત્વનાં નિમિત્તો પણ આત્માની પરિણામધારા પરભાવને છેડી, સ્વભાવમાં વર્તતી હતી તેથી મેહનીય જોગવવું ના પડ્યું.પ્રદેશદયમાં આવી, ખરી ગયું. નિર્જરા થઈ ગઈ. બંધુઓ ! એટલે જ એ જ વીતરાગતાને પામી ગયા. ધર્મ સિવાય વીતરાગતા પ્રાપ્ત ન થાય. તેઓએ યથાર્થ ધર્મ કરી લીધો. ગાથામાં પણ એ જ કહ્યું કે હે શિષ્ય! તારે કર્તાભાવ અને ભક્તાભાવ ટળી જાય તે તારા આત્મામાં ધમ ઉગે. એ ધર્મ શું થાય? તે કહે છે. એ જ ધર્મથી મેક્ષ છે. તું છે મેક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ...૧૧૬.... જ્યારે જીવને ક્તભાવ તથા ભક્તાભાવ દૂર થાય છે ત્યારે અત્યાર સુધી પરભાવમાં અને પારદ્રવ્યમાં એકત્વ બુદ્ધિરૂપ પરિણમન થતું હતું તે બદલાઈ જાય છે. નિજ આત્મામાં અભેદ ભાવે વર્તવા માંડે છે. પોતેપિતામાં સ્થિર થવું. પરભાવથી ખસી સ્વભાવમાં વસવું તે જ ધર્મ છે. આ ધર્મ આત્મામાં જાગે એટલે મેક્ષ થાય જ. કારણ મોક્ષ એ કઈ બહારની પ્રાપ્ત થતી પદવી નથી, પદાર્થ નથી. પણ જીવનાં સ્વભાવનું સર્વથા પ્રગટ થઈ જવું. સ્વભાવ પ્રગટ થતાં જીવની જે દશા છે તે મેક્ષ છે.
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy