SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 278 હું આત્મા છું ગુપ્ત છે. સામાન્ય જન જેને સમજી ન શકે. તે પુરુષની આચરણ આવી જ હોય, અને તેથી જ માનસિક સુખ-દુઃખ કે શાતા-અશાતાથી તેઓ પર થઈ ગયા હોય. આવા સદગુરુની આજ્ઞાનાં અતૂટ વિશ્વાસે જિજ્ઞાસુ શિષ્ય વત્યે જાય તે તે શુદ્ધ સમકિત દશાને પ્રાપ્ત કરે જ કરે. જેમાં શંકાને સ્થાન નથી. સદ્ગુરુનાં ઉપદેશ પર, આજ્ઞા પર યથાર્થ શ્રદ્ધા ભાવે ચિંતન થાય તેથી પરદ્રવ્ય પ્રત્યેની આસક્તિ તૂટતી જાય. જેમ-જેમ સ્વનું ચિંતન વધે તેમ-તેમ પરનું ચિંતન ઘટે. અંતે જ્યારે આત્મા દેહનું ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે, બહાર ભટકતી વૃત્તિ અંતરમાં સ્થિર થઈ જાય. પછી તેને કયાંય બહાર જવાની જરૂર જ ન રહે. પિતામાં પડેલી અચિંત્ય-ગુપ્ત શક્તિઓને ખજાને, તે વૃત્તિઓને પિતામાં જ રોકી રાખે. જ્યાં સ્વસંવેદન થાય. તેના આસ્વાદમાં જ આત્મા લીન બની જાય. બસ આ જ છે નિશ્ચય સમ્યક્ત્વ. આવું સમ્યકત્વ એક અને અખંડ છે. તેમાં ન તો કઈ ભેદ કે ન તો કઈ પક્ષ. સમ્યક્ત્વનાં જેટલાં ભેદે બતાવ્યા તે બધાં જ વ્યવહાર દષ્ટિએ. શાસ્ત્રોમાં રુચિરૂ૫ સમ્યક્ત્વનાં ભેદ બતાવ્યા છે. તે 1, આજ્ઞા સમ્યકત્વ. 2, માર્ગ સમ્યકત્વ. 3, ઉપદેશ સમ્યક્ત્વ. 4, સૂત્ર સમ્યકત્વ 5, બીજ સમ્યકત્વ. 6, સંક્ષેપ સમ્યકત્વ. 7, વિસ્તાર સમ્યકત્વ. 8, અર્થ સમ્યક્ત્વ. આ આઠ સમ્યકત્વ તેની ઉત્પત્તિની દષ્ટિથી બતાવ્યા. ગમે તે કારણે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ શકે છે. પણ આ બધાં જ વ્યવહાર ની દષ્ટિએ ભેદ છે. બીજા બે ભેદો કહ્યાં તે 1, અવગાઢ સમ્યકત્વ 2, પરમાવગાઢ સમ્યફત્વ. અવગાઢ સમ્યફ અર્થાત્ ક્ષાયિક સમ્યકત્વ. સાત પ્રકૃતિનાં સંપૂર્ણ ક્ષયરૂપ ચેથા ગુણસ્થાને થયેલું તે ક્ષાયિક સમ્યક્ત્વ. જે ચોથાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. અને પરમાવગાઢ તે પણ ક્ષાયિક સમ્યકત્વ જ છે. પણ તે તેરમા ગુણસ્થાનવત જીવને છે. ત્યાં જ્ઞાન, દર્શન અને વીર્ય પણ અનંતરૂપ પ્રગટ થઇ ચૂક્યા છે. પણ ચેથાથી બારમા સુધીનાં ક્ષાયિક
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy