SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ષ ભાવ નિવાસ * 213 રૂપે જ થશે. તેમાં સમય કે શ્રમ નહીં લાગે. મેક્ષ ઉપાયને સમજ એ તારા જેવા સુ-મતિ ધારક શિષ્ય માટે રમત વાત છે. ડાબા હાથ ને ખેલ છે. - બંધુઓ ! ભૌતિક જીવનવ્યવહારમાં આવું ઘણી વાર બેલતા હો છે કે અમુક કામ કરવું, કેઈ ને ઠગે, કેઈને ફસાવ, શીશામાં ઉતાર, એ તે મારા ડાબા હાથનો ખેલ છે. પણ એ બધાં જ ખેલો પરિણામે પાપકારી અને દુઃખદાયી છે. હું તે તમને કહીશ કે મોક્ષને ઉપાય સમજવો જેમ શિષ્યને સહજ છે તેમ સહુને સહજ થાય તેવું કંઈક કરે ને ! અંતરમાં પડેલી શ્રદ્ધાની શક્તિને જાગૃત કરી લે, તત્વને પામવાની પાત્રતા પિદા કરી લો તે આપણું માટે પણ મપાય સમજવો અને આચરવો સહજ થઈ જશે. એ માટે જોઈએ પુરુષાર્થ. મોહનય અને જ્ઞાનાવરણીયને પશમ વધારતાં જઈએ તે પહેલાં સમજાશે અને પછી આચરણમાં આવશે, ગૃહસ્થી માટે પણ તે શક્ય છે. ઈતિહાસમાં અનેક મહાપુરુષોની વાત આવે છે કે તેમને મન કેવળજ્ઞાન પામવું એ પણ સહજ હતું. ભરત ચક્રવર્તીએ ચપટી વગાડતામાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. વિચારો બંધુઓ ! જે ભરત અરિસાભુવનમાં રૂપનાં અહંનું પિષણ કરવા માટે પ્રવેશ્યાં હતાં તેઓ સર્વથા અહને તેડી કેવળ લઈ બહાર પધાર્યા. કેટલો સમય લાગે! અને કે શેખીન હશે એ જીવ ! તમે રેજ અરિસામાં મુખ જુઓ છે. જેને અભિમાન પણ કરતાં હશે. સુંદરતા પ્રત્યે સજાગ પણ હશે. છતાં તમારે ત્યાં કેટલા અરિસા? દરેક રૂમમાં એક, અરે! બખે! પણ નહીં, ભારતે તે અરિસા–ભુવન બનાવ્યું હતુ. ઉપરનીચે, આગળ-પાછળ ચારે બાજુ, છયે બાજુ અરિસા જ અરિસા. અને ત્યાં જઈ સૌદર્યના અભિમાનનું પિષણ, પણ બંધુઓ! એ ભાવેને ખંખેરતા વાર ન લાગી. બહુ જ સહજરૂપે છૂટી ગયું. હું તમને પૂછું છું કે જ્યારે તમે અરિસામાં મુખ જુઓ છેતે કયારેય ભરત યાદ આવે છે? એમ થાય છે કે મને પણ અરિસામાં રૂપ નિહાળતાં કેવળજ્ઞાન કેમ ન થાય ? ભેગમાં પણ જે ત્યાગ
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy