SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 136 હું આત્મા છું પરધર્મ અર્થાત્ આત્માથી અતિરિક્ત જે કંઈ છે તે બધું પર અને તેને સ્વભાવ તે ધર્મ. પર પદાર્થોમાં રાચ્યા રહેવું તે પરધર્મી પર પદાર્થોમાંથી સુખની આશા રાખવી તે પરધર્મ. જડ પદાર્થોની પ્રીતિ અને ઈન્દ્રિયેની આસક્તિ, આ છે પરધર્મ. તેમજ રાગાદિ ભાવે પણ જડ છે. રાગાદિ કરીએ તે છીએ જ પણ રાગ અને દ્વેષની પ્રીતિ પણ એટલી જ છે. રાગાદિ એ પિતાને સ્વભાવ હોય તેમ માની તે કરવા જેવા છે. એવી જે માન્યતા છે તે જ ભયાવહ છે. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે કે પરધર્મને પિતાના માનીને એ જ કરતે રહ્યો છે તે મહાઅનર્થની ખાણ છે. આજ સુધી જીવ રખડ. કર્મ કરતો રહ્યો અને ભગવતે રહ્યો તેનું કારણ પણ એ જ છે કે જીવને જડના ધર્મો એવા રાગાદિ ભાવે બહુ પ્રિય લાગ્યા છે. તેનાથી પર થઈ આવે કદી વિચાર્યું જ નથી કે મારે ધર્મ આ નથી પણ આનાથી ભિન્ન “હું આત્મા છું તે આત્માના ગુણો તે મારો ધર્મ અને તેને પ્રગટ કરવાને પુરુષાર્થ એ જ ધર્મ કિયા. આવા સ્વધર્મને સમજનાર નિજભાનમાં સ્થિત થાય છે. શ્રીમદ્જીએ કહ્યું કે “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ. આત્મા રાગાદિ ભામાં ન રહેતા પિતાનામાં જ હોય તે તેનામાં સ્થિરતા હોય. જ્યાં રાગાદિભાવનું કરવાપણું છે ત્યાં અસ્થિરતા છે, ચંચળતા છે. એ ચંચળતા જ આત્મા–પ્રદેશમાં કંપન પિદા કરે અને કંપનના કારણે જ કર્મ પરમાણુઓ રહિત થાય, તે જ કર્મબંધ. જે આત્મામાં સ્થિરતા હોય તે બહારના આકાશ-પ્રદેશમાં ગમે તેટલા કર્મ પરમાણુઓ હોય તે આત્મા પર આવી શકતા નથી. કર્મ બંધ થતા નથી.એવી સ્થિતિમાં આત્મા માત્ર પિતાના સ્વભાવ એટલે કે જ્ઞાનાદિભાવના પર્યામાં જ પરિણત થયા કરતે હેય. નિજ-સ્વભાવની અનુભૂતિમાં જ રત હેય. તેથી તે નિજ સ્વભાવને કર્તા છે તેમ કહીએ. વળી વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ એમ કહીને વ્યવહાર નયે આત્મા કર્મને કર્તા પણ છે એ સિદ્ધ કરે છે. આત્મા જે. પિતાના સ્વભાવથી બહાર નીકળે કે તરત તેને કમ લાગ્યાં જ છે. સ્વભા
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy