SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી નિત્ય સદાય કરીને કહે છે એવું નથી બનતું. અહીં તે ક્ષણ-ક્ષણ કયામતની જ છે, ક્ષણે-ક્ષણે કર્મ બંધાય અને ક્ષણે-ક્ષણે તેનું ફળ નકકી થઈ જાય. તે કર્મ અનુસાર સ્વર્ગ અને નરક પણ નક્કી થઈ જાય છે. કદાચ તમે નરક કે સ્વર્ગને કોઈ સ્થાન ન માનતા હો, પણ એ તે જાણે છે ને કે અહીં કોઈ માણસ મોટો ગુન્હો કરે તે તેના ગુન્હાની શિક્ષા માટે કેટલી બધી વ્યવસ્થા તમે જ ઊભી કરી છે ! પોલીસ, જેલ, કોટ, વકીલ, જજ, ચુકાદો અને સજા ! કહો, તમારી ઊભી કરેલી આ વ્યવસ્થાને અનુસરવું પડે છે કે નહીં ? અને સજા ભોગવવા જેલમાં ગુનેગારને લઈ જવાય કે તેને ઘરમાં રાખીને જ સજા આપે ? એમ નથી થતું ! સમાજની નજરે ગુનેગાર ઠરેલ વ્યક્તિને કાળ-કોટડીમાં પૂરાવું પડે અને ફાંસી સુધીની સજા મળે છે તે પણ ભેગવવી જ પડે, તેમાં ચાલે નહીં. બંધુઓ ! આત્માએ કરેલાં કર્મોનું પણ એમ જ છે. તેને ભેગવવા નરક, નિગદ અને તિર્યંચ જેવી ગતિરૂપ સ્થાને છે. અને ત્યાં જીવને જવું પડે છે. એ જ રીતે પુણ્યકર્મ કરવાવાળાને પણ સ્વર્ગ કે મનુષ્ય જેવી ગતિ મળે જ્યાં સુખ ભોગવે છે. આ બધું ત્યારે જ ઘટી શકે, જે આત્મા નિત્ય હેય. શ્રીમદ્જી વારંવાર આ ભાવનું રીપીટેશન ગાથાઓમાં કરે છે તેની પાછળનું કારણ એ જ છે કે માણસે આત્માની નિત્યતા સ્વીકારતા નથી. તેઓની સમક્ષ આત્માનું નિત્યત્વ સિદ્ધ કરી, પોતે જ નિત્ય એ આત્મા છે એ શ્રદ્ધાને જાગૃત કરવી છે. આત્માની નિત્યતા ફરી સિદ્ધ કરવા માટે શ્રીમદ્જી કહે છે - જે સંગે દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ૬૪. જગતમાં જેટલા દેહાદિ સગે છે તે દશ્ય છે. અર્થાત જોઈ શકાય તેવા છે અને તે અનુભવ સ્વરૂપ આત્માના ય પદાર્થો છે. પણ આત્મા કેઈ સગથી ઉત્પન્ન થવા ગ્ય નથી. આત્મા છે ત્યાં વિકાસ છે. એક નાનું એવું બીજ જમીનમાંથી તત્ત્વને ગ્રહણ કરી, અંકુરિત થઈ
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy