________________ 44 ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર ભાન નહી નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. 133 આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કેય. 134 સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટે ન મોહ; તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાણ્ય. 138 મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. 139 સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. 140 સ્થાનક પાંચ વિચારીને, છઠું વરે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141 દેહ છતાં જેની દશા, વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણિત. 142